________________
પરિશિષ્ટ
(૧૧) ભાવથી સ્વાત્ અસ્તિ આત્મા પોતાના ભાવપરિણામની અપેક્ષાએ છે.
૩૨૫
કોઈ એકાંતવાદી એમ કહે છે કે આત્મા અચેતન પદાર્થના પરિણામને જાણે છે તેથી ચેતનના પોતાના પરિણામ છે જ નહિ અને જાણવામાં આવતા અચેતન પદાર્થના નાશથી આત્મા પણ નાશ પામે છે. તેને જ્ઞાની કહે છે કે જ્ઞેય એવા પર પદાર્થોના ભાવથી ભિન્નપણે જ્ઞાન પોતાના સ્વભાવે પરિણમે છે. તે ચેતનભાવથી આત્માનું અસ્તિત્વ સદા રહે છે.
શાર્દૂલવિક્રીડિત
विश्रान्तः परभावभावकलनान्नित्यं बहिर्वस्तुषु नश्यत्येव पशुः स्वभावमहिमन्येकांतनिश्चेतनः ।
सर्वस्मान्नियतस्वभावभवनज्ञानाद्विभक्तो भवन् स्याद्वादी तु न नाशमेति सहजस्पष्टीकृतप्रत्ययः ॥ २५८ ॥
એકાંતવાદી અજ્ઞાની પશુ પરપદાર્થના પરિણમનને નિમિત્તે થતા વિભાવ ભાવને અનુભવતો હંમેશાં બાહ્ય વસ્તુઓમાં વિશ્રાંત થયેલો અને પોતાના સ્વપરિણામરૂપ મહિમામાં એકાંતે નિશ્ચેતન (જડ જેવો) થયેલો અવશ્ય નાશ પામે છે; અને સ્યાદ્વાદી તો સર્વ નિયત એવા પ૨સ્વભાવે પરિણમવારૂપ જ્ઞાનથી ભિન્ન થયેલા, સહજ આત્મભાવથી સ્પષ્ટ કરી છે પોતાના સ્વરૂપની પ્રતીતિ જેણે, એવા તેઓ નાશ પામતા નથી. (કલશ ૨૫૮)
(૧૨) ભાવથી સ્થાત્ નાસ્તિ પરભાવરૂપે આત્મા નથી.
જ્ઞાનમાં જણાતા પરપદાર્થોના ભાવરૂપ અથવા કર્મના સંયોગથી થતા અનંત વિભાોરૂપ પોતાને માનીને એકાંતવાદી આત્માનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org