________________
શ્રી સમયસાર
અનુભવતો અજ્ઞાની પશુ પોતે અત્યંત તુચ્છ થતો દુઃખી થાય છે; અને સ્યાદ્વાદને જાણનાર જ્ઞાની તો સ્વકાલથી આત્માના અસ્તિત્વને અનુભવતા, બાહ્ય વસ્તુઓ (દેહાદિ) ફરી ફરી ઉત્પન્ન થઈને નાશ થતી હોવા છતાં પોતે પૂર્ણ રહે છે. (કલશ ૨૫૬) (૧૦) કાળથી મ્યાત્ નાસ્તિ ૫૨૫દાર્થના કાળની અપેક્ષાએ આત્મા નથી.
૩૨૪
કોઈ અજ્ઞાની એમ કહે છે કે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ એ પંચભૂતના મળવાથી શરીર ઉત્પન્ન થયું ત્યારે આત્મા ઉત્પન્ન થયો છે. તે પહેલા ન હતો અને શરીરના નાશ પછી રહેશે નહિ. એમ શરીરરૂપ પરદ્રવ્યના અવલંબનકાળમાં જ આત્માનું અસ્તિત્વ મનાવનાર એકાંતવાદ આત્માનો નાશ કરે છે, ત્યારે પરના કાલથી આત્માનું નાસ્તિત્વ બતાવનાર અનેકાંત તેને નાશ પામવા દેતો નથી.
શાર્દૂલવિક્રીડિત
अर्थालंबनकाल एव कलयन् ज्ञानस्य सत्त्वं बहिज्ञेयालंबनलालसेन मनसा भ्राम्यन् पशुर्नश्यति । नास्तित्वं परकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनस्तिष्ठ त्यात्मनिखातनित्यसह जज्ञानै कपुंजीभवन् ॥२५७॥
એકાંતવાદી અજ્ઞાની પશુ ૫૨૫દાર્થના અવલંબન (સંયોગ) કાળમાં જ આત્માનું અસ્તિત્વ અનુભવતો બાહ્ય જ્ઞેય પદાર્થોના સંયોગની લાલસાથી મનવડે ભ્રમણ કરતો નાશ પામે છે; અને યાદ્વાદને જાણનાર જ્ઞાની તો કોઈ પર૫દાર્થના કાળની અપેક્ષાએ આત્મા નથી એમ અનુભવતા, પરવસ્તુ જેમાં પ્રતિબિંબિત થાય છે એવા નિત્ય સહજ જ્ઞાનના એક પુંજરૂપ થતા, પોતાના સ્વરૂપમાં રહે છે. (કલશ ૨૫૭)
www.jainelibrary.org
Jain Educationa International
For Personal and Private Use Only