________________
પૃષ્ઠ ૨૮૬
[૩૩] વિષય હવે અજ્ઞાનચેતના વિષે કહે છે : ગાથા (૩૮૭-૩૮૯) એક જ અજ્ઞાનચેતના કર્મચેતના અને કર્મફલચેતના એમ બેરૂપે થાય છે. એ રીતે ભવદુઃખબીજ આઠ કર્મ બંધાય છે તેથી છૂટવા (૧) કર્મસંન્યાસભાવના--મનવચનકાયાથી, કરવું કરાવવું અનુમોદવું એ રીતે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન અને આલોચના-એ દરેકના ૪૯ ભેદ બતાવ્યા છે. (૨) કર્મફલસંન્યાસભાવના - ૧૪૮ કર્મપ્રકૃતિના ફળને હું ભોગવતો નથી, ચૈતન્યસ્વરૂપ આત્માને જ ભોગવું છું. એવી ભાવના કરીને જીવ સદાને માટે જ્ઞાનચેતનામાં સ્થિર થાય છે. તે જ્ઞાનચેતના અથવા “જ્ઞાન” વિષે કહે છે :
૨૯૪ ગાથા (૩૯૦-૪૦૪) શાસ્ત્ર, શબ્દ, દેહનાં રૂ૫ રસ ગંધ વર્ણ સ્પર્શ તથા કર્મ તેમજ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય કાલ આકાશ અને મનના પર્યાયરૂપ અધ્યવસાન એ સર્વ કંઈ જાણતા નથી તેથી જડ છે તે જ્ઞાન નથી. જ્ઞાયક જે જીવ છે તે જ જ્ઞાન છે. સમ્યગ્દર્શન, સંયમ, દીક્ષા અને શુભાશુભ ભાવ પણ જીવથી અભિન્ન હોવાથી તે પણ જ્ઞાન છે. એમ ભેદજ્ઞાન વડે નિર્વિકલ્પપણે પરિણમતાં જ્ઞાન અથવા જ્ઞાનચેતના પ્રગટ થાય છે. તે જ્ઞાનને દેહધારીપણું નથી તેથી આહાર પણ નથી ? ગાથા (૪૦૫-૪૦૭) જ્ઞાનસ્વરૂપ આત્મા જડરૂપ આહારને ગ્રહતો કે છોડતો નથી. લિંગ એટલે વેષ મોક્ષનું કારણ નથી :
- 300 ગાથા (૪૦૮-૪૦૯) જ્ઞાનને દેહ જ નથી તેથી વેષ મોક્ષનું કારણ નથી. અનેક પ્રકારના મુનિવેષ અને ગૃહસ્થવેષ ધારણ કરી મૂઢ જન તે વેષને જ મોક્ષનો માર્ગ કહે છે. પરંતુ જિન પોતે સર્વ પ્રકારના વેષનું મમત્વ છોડીને દર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગને આરાધે છે. (૪૧૦) દર્શનજ્ઞાનચારિત્ર એ જ મોક્ષમાર્ગ છે. વેષ મોક્ષમાર્ગ નથી
૨૯૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org