SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૨] વિષય "પૃષ્ઠ નિશ્ચયનય અભિન્ન કરણ-કાર્ય-ફળને દર્શાવે છે તેથી વ્યવહારથી આત્મા મનવચનકાયાના યોગ વડે દ્રવ્યકર્મને કરે ભોગવે છે એમ કહેવાય, પણ નિશ્ચયથી તો પોતાના ભાવવડે પોતાના ભાવોનો કર્તાભોક્તા કહેવાય છે. (૩૫૬-૩૬૫) જૈતિકાનું ડ્રષ્ટાંત. જેમ જૈતિકા (ખડીચૂનો) ભીંતથી ભિન્ન પોતારૂપે જ છે તેમ આત્મા જ્ઞાયક દર્શક સંવતપણે પરથી ભિન્ન પોતારૂપે જ રહે છે. એ નિશ્ચયનયનું કથન છે. વળી જેમ બેતિકા પોતાના શ્વેતગુણ વડે ભીંતને શ્વેત કરે છે તેમ આત્મા પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણથી પરદ્રવ્યને જાણેદેખે-ત્યાગે છે, એ વ્યવહારનયનું કથન છે. અજ્ઞાનથી રાગદ્વેષ થાય છે તેથી ભેદજ્ઞાન કરાવવા કહે છે : ૨૭૬ ગાથા (૩૬૬-૩૭૧) જડ વિષયોમાં, દ્રવ્યકર્મમાં તથા નોકર્મરૂપ શરીરમાં દર્શનજ્ઞાનચારિત્ર ગુણ નથી તેથી તે આત્માથી ભિન્ન છે. તેમાં રાગદ્વેષ કરવા યોગ્ય નથી. રાગદ્વેષ પણ જડ શબ્દાદિ વિષયમાં નથી, જીવના જ અનન્ય ભાવ છે તેથી જડ પદાર્થ રાગદ્વેષના કારણ નથી, એમ સમ્યવૃષ્ટિ જાણે છે. (૩૭૨) એક દ્રવ્ય અન્ય દ્રવ્યના ગુણને ઉપજાવી શકે નહિ તેથી રાગદ્વેષ થવામાં પર દ્રવ્યો કારણ નથી. અજ્ઞાન કારણ છે. તે અજ્ઞાન દૂર કરી રાગદ્વેષ મટાડવા આચાર્ય સમજાવે છે : ૨૮૧ ગાથા (૩૭૩-૩૮૨) અડદ્રવ્ય અને તેના ગુણપર્યાય જીવને તો કંઈ કહેતા નથી અને જીવ પણ પોતાનું સ્થાન મૂકીને તે પ્રત્યે જતો નથી એમ જાણવા છતાં મૂઢ અજ્ઞાની તેમાં શા માટે રાગદ્વેષ કરે છે ? પદ્રવ્યથી વિરમીને ઉપશમ કેમ પ્રાપ્ત કરતો નથી ? અજ્ઞાન દૂર કરી જ્ઞાનચેતના પ્રગટાવવા કહે છેઃ ૨૮૫ ગાથા (૩૮૩-૩૮૬) ભૂત શુભાશુભ ભાવોને પ્રતિક્રમતો, ભાવિ વિભાવોનું પ્રત્યાખ્યાન કરતો અને વર્તમાન કર્મઉદયને આત્માથી અત્યંત ભિન્નરૂપે આલોચતો જીવ પોતે જ જ્ઞાનચેતનારૂપ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy