________________
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૩૧૧ अन्यद्रव्यानपेक्षं निरुपमममितं शाश्वतं सर्वकालम् उत्कृष्टानन्तसारं परमसुखमतस्तस्य सिद्धस्य जातम् ॥
-- શ્રી પૂજ્યપાદસ્વામી રચિત સિદ્ધભક્તિસ્તોત્ર ભાવાર્થ :- આત્મારૂપ ઉપાદાન કારણથી ઊપજતું, પોતાથી જ સર્વોત્કૃષ્ટ અને સર્વ બાધાપીડાથી રહિત, અત્યંત વિશાળ, વૃદ્ધિહાનિથી રહિત, ઇન્દ્રિયોના વિષયોથી પર, પ્રતિપક્ષ એવા ઠંદ્રભાવથી મુક્ત, આત્મા સિવાય સર્વ અન્ય પદાર્થની અપેક્ષા વિનાનું, સંસારના કોઈ સુખની જેને ઉપમા ઘટતી નથી તેથી નિરુપમ, જેનું માપ ન થઈ શકે તેવું અપાર અને સર્વકાળ રહેવાનું હોવાથી શાશ્વત, સર્વોત્કૃષ્ટ અનંત સારવાળું એવું પરમસુખ આ મોક્ષવડે સિદ્ધોને પ્રાપ્ત થયું છે.
શંકા - મોક્ષમાં એવું ઇન્દ્રિયાતીત પરમસુખ છે તેની ખાતરી કેવી રીતે થાય?
સમાધાન :- પાંચ ઇન્દ્રિયોના વિષય સંબંધી સર્વ વિકલ્પોથી રહિત સમાધિસ્થ એવા મુનિને અહીં પણ અંશે તે સુખ અનુભવાય છે. તે વખતે તેમને સંસાર સંબંધી કોઈ સુખ ન હોવા છતાં આત્મામાં પરમસુખનો અનુભવ થાય છે. તે ઉપરથી મોક્ષમાં જે અતીન્દ્રિય સુખ છે, તેનું માત્ર અનુમાન કરાય છે. વાસ્તવિક રીતે તો મોક્ષસુખનો ખ્યાલ પણ આવવો અશક્ય છે. કહ્યું છે કે :
અનુછુપ यद्देवमनुजाः सर्वे सौख्यमक्षार्थसंभवं । निर्विशंति निराबाधं सर्वाक्षप्रीणनक्षमं ॥ सर्वेणातीतकालेन यच्च भुक्तं महर्द्धिक । भाविनो ये च भोक्ष्यंति स्वादिष्टं स्वांतरंजकं ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org