________________
૩૧૦
શ્રી સમયસાર આનંદમય વિજ્ઞાનઘન સ્વરૂપને અધ્યક્ષતા પ્રત્યે નિયત) લઈ જતું, અર્થાત્ આત્મસાક્ષાત્કાર કરાવતું આ એક અક્ષય જગત્યક્ષસમયસાર શાસ્ત્ર પૂર્ણતાને પામે છે.
છેવટે આ સમયસાર ગ્રંથનો અભ્યાસ કરવાનું ફળ દર્શાવે
जो समयपाहुडमिणं पडिहूणं अत्थतच्चओ णाउं । अत्थे ठाही चेया सो होही उत्तमं सोक्खं ॥४१५॥ સમયસાર આ ભણી ગણી, અર્થતત્ત્વથી પૂર્ણ; અર્થે ઠરતાં ઑવ બને, શ્રેષ્ઠ સૌખ્ય સંપૂર્ણ. ૪૧૫
વિશ્વપ્રકાશપણે વિશ્વના પદાર્થોનું પ્રતિપાદન કરતું હોવાથી સમયસારરૂપ ભગવાન પરમાત્માના સ્વયંશબ્દબ્રહ્મરૂપ આ સમયસારશાસ્ત્ર છે. તેને ભણીને, અર્થથી અને તત્ત્વથી જાણીને તેના જ અર્થભૂત-વિશ્વને પ્રકાશવામાં સમર્થ પરમાર્થભૂતચૈતન્યપ્રકાશરૂપ પરમાત્માને નિશ્ચય કરતો જે આત્મા, ભગવાન એક પૂર્ણ વિજ્ઞાનઘન પરબ્રહ્મમાં સર્વ પ્રયત્નથી સ્થિતિ કરશે, તે આત્મા સાક્ષાત્ તત્સણ વધતા ચૈતન્ય એક રસથી ભરપૂર સ્વભાવમાં સુસ્થિત નિરાકુલ પરિણતિવડે, પરમાનંદ શબ્દથી કહેવાતું, ઉત્તમ અનાકુલ લક્ષણવાળું જે મોક્ષસુખ તેરૂપ પોતે જ થશે.
પ્રશ્ન :- તે મોક્ષસુખ કેવું છે?
સ્ત્રગ્ધરા आत्मोपादानसिद्धं स्वयमतिशयवद्वीतबाधं विशालम् वृद्धिह्रासव्यपेतं विषयविरहितं निःप्रतिद्वंद्वभावम् ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org