________________
૩૧ રે,
શ્રી સમયસાર
अनंतगुणिनं तस्मादत्यक्षं स्वस्वभावजं । एकस्मिन् समये भुंक्ते तत्सुखं परमेश्वरः ॥ જેટલું ઇન્દ્રિયસુખ મનુષ્યો તથા દેવો સર્વ મળીને ત્રણે કાળમાં ભોગવી શકે તેના કરતાં અનંતગણું સુખ પરમેશ્વર સિદ્ધભગવાન એક સમયમાં ભોગવે છે. તે મોક્ષસુખ અતીંદ્રિય અને સ્વભાવજન્ય હોવાથી સ્વાધીન છે અને ઇન્દ્રિયસુખ પરાધીન હોવાથી વાસ્તવિક રીતે દુઃખરૂપ જ છે.
હવે સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર પૂર્ણ કરતાં અંત કલશ કહે
इतीदमात्मनस्तत्त्वं ज्ञानमात्रमवस्थितम् । अखंडमेकमचलं स्वसंवेद्यमबाधितम् ॥२४६ ॥
આ અખંડ એક અચળ સ્વસંવેદ્ય (પોતાથી જ જણાવાયોગ્ય) અને અબાધિત કોઈથી બાધાપીડા કે નાશ ન કરી શકાય) એવું આ આત્માનું તત્ત્વ વિશેષે કરીને જ્ઞાનમાત્રપણે રહેલું છે.
(કલશ ૨૪૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org