SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ શ્રી સમયસાર જ જેઓ સ્થિતિ કરે છે, તેનું જ નિરંતર ધ્યાન કરે છે તથા તેનો જ અનુભવ કરે છે અને બીજાં દ્રવ્યોને ન સ્પર્શતા-ઉપયોગમાં ન આણતા--તેમાં જ નિરંતર વિહાર કરે છે, તેઓ સદાને માટે પ્રગટ રહેનાર એવા સમયસાર શુદ્ધપરમાત્માને અલ્પકાળમાં પ્રાપ્ત કરે છે. (કલશ ૨૪૦) શ્રીબનારસીદાસે “નાટક સમયસાર”માં તે વિષે ગાયું છે કે : “શુદ્ધતા વિચારે ધ્યાને શુદ્ધતામૈ કેલિ કરે, શુદ્ધતામૈં થિર વહે અમૃતધારા બરસે.' શાર્દૂલવિક્રીડિત ये त्वेनं परिहत्य संवृतिपथप्रस्थापितेनात्मना लिंगे द्रव्यमये वहन्ति ममतां तत्त्वावबोधच्युताः । नित्योद्योतमखंडमेकमतुलालोकं स्वभावप्रभाप्राग्भारं समयस्य सारममलं नाद्यापि पश्यंति ते ॥२४१ ।। પરંતુ જેઓ ઉપરોક્ત મોક્ષમાર્ગને છોડીને વ્યવહારમોક્ષમાર્ગમાં આત્માને સ્થાપન કરવાવડે દ્રવ્યલિંગની મમતા કરે છે, અર્થાત્ બાહ્યવેષ આદિને મોક્ષમાર્ગ માને છે અને તત્ત્વજ્ઞાનથી રહિત છે, તેઓ નિત્યપ્રગટ, અખંડ, એક, અતુલ, જેમાં સર્વલોક દેખાય છે અને જે સ્વભાવની પ્રભાથી ભરપૂર છે એવા સર્વ કર્મમલથી રહિત સમયના સાર-શુદ્ધાત્માને હજુ સુધી જોતા નથી. (કલશ ૨૪૧) સહજ શુદ્ધ પરમાત્માનુભૂતિ લક્ષણવાળા ભાવલિંગથી રહિત દ્રવ્યલિંગમાં જેઓ મમતા કરે છે, તેઓ આ શુદ્ધાત્મારૂપ સમયસારને જાણતા નથી એમ પ્રકાશે છે - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy