________________
૩૦૨
શ્રી સમયસાર
એમ હોવાથી ઉપદેશ છે કે :तह्मा जहित्तु लिंगे सागारणगारएहिं वा गहिए । दंसणणाणचरित्ते अप्पाणं जुंज मोक्खपहे ॥४११॥ તેથી મુનિગૃહીલિંગની, મમતા સર્વે છોડ; રત્નત્રયમુક્તિપથે, આત્માને તું જોડ. ૪૧૧
દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી તેથી સમસ્ત દ્રવ્યલિંગની મમતાને તજીને, દર્શનજ્ઞાનચારિત્ર એ મોક્ષમાર્ગ હોવાથી તેમાં જ આત્માને જોડવો જોઈએ.
તાત્પર્ય કે સાધુવેષ કે ગૃહસ્થવેષને જિનેશ્વરો મોક્ષમાર્ગ કહેતા નથી પરંતુ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર એ જ મોક્ષનો માર્ગ છે એમ કહે છે, તેથી આચાર્ય ઉપદેશ છે કે, હે ભવ્ય ! તું સાગાર (ગૃહસ્થ) કે અનાગાર (મુનિ) વડે ગ્રહણ કરાતા વેષનો આગ્રહ છોડીને, કેવલજ્ઞાનાદિ અનંત ચતુષ્ટય સ્વરૂપ શુદ્ધાત્માના સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં આત્માના ઉપયોગને જોડેલો રાખ.
અનુષ્ટ્રપ दर्शनज्ञानचारित्रत्रयात्मा तत्त्वमात्मनः ।
एक एव सदा सेव्यो मोक्षमार्गो मुमुक्षुणा ॥२३९ ॥
શુદ્ધાત્માનાં દર્શન (શ્રદ્ધા)-જ્ઞાન-ચારિત્ર એ ત્રણની એકતારૂપ આત્માનું તત્ત્વ છે, માટે મુમુક્ષુએ તે જ આત્મતત્ત્વરૂપ મોક્ષમાર્ગ સદા સેવવા યોગ્ય છે.
(કલશ ૨૩૯) કેવી રીતે સેવવાયોગ્ય છે? તે કહે છેमोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झाहि तं चेय । तत्थेव विहर णिच्चं मा विहरसु अण्णदव्वेसु ॥४१२॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org