________________
૨૯૮
શ્રી સમયસાર સર્વથા ત્યાગ કરાયું અને અશેષ ગ્રહણ કરવા યોગ્ય સર્વથા ગ્રહણ કરાયું.
(કલશ ર૩૬) જીવ પદાર્થ દ્રવ્ય અને પર્યાય બન્ને રૂપે હોવાથી જ્ઞાન શુદ્ધ પારિણામિક ભાવથી જોતાં સદા દ્રવ્યરૂપે રહે છે, અને મતિધૃતાદિ પાંચ તેના પર્યાયો છે. તેમાં જ્ઞાનના કયા પર્યાયથી મોક્ષપ્રાપ્તિ થાય છે તે વિચારીએ. એ પાંચમાં કેવળજ્ઞાન એ તો ફળરૂપ હોઈ છેવટે પ્રગટ થાય છે અને અવધિ મન:પર્યવ એ બે પર એવા મૂર્ત પદાર્થને જાણનાર હોવાથી મોક્ષનાં કારણ નથી. બાકી રહ્યાં મતિ ને શ્રત. તે બાહ્ય પદાર્થમાં પરિણમી રહ્યાં હોય ત્યારે મોક્ષનાં કારણ નથી, પરંતુ જ્યારે બાહ્ય પદાર્થ સંબંધી વિકલ્પોથી નિવર્તી પોતાના શુદ્ધાત્માની સન્મુખ ઉપયોગ લક્ષણવાળું નિશ્ચય નિર્વિકલ્પ ભાવરૂપ જે માનસમતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન છે, તે પાંચ ઇન્દ્રિયોના વિષયોથી પર હોવાથી અતીન્દ્રિય છે, તે દ્વારા શુદ્ધ પરિણામિક શુદ્ધાત્મદ્રવ્ય પ્રત્યે જે ભાવના થવી તે રૂપ નિર્વિકાર સ્વસંવેદન શબ્દથી ઓળખાતું સંસારી જીવને ક્ષાયિકજ્ઞાનના અભાવમાં ક્ષયોપશમરૂપ જે વિશિષ્ટ ભેદજ્ઞાન છે તે મુક્તિનું કારણ થાય છે. શાથી ? સમસ્ત મિથ્યાત્વ રાગાદિ વિકલ્પરૂપ કર્મની ઉપાધિથી રહિત પોતાના શુદ્ધાત્માની ભાવનાથી ઉત્પન્ન થતા, પરમ આહ્વાદ લક્ષણવાળા સુખામૃતના અનુભવ સાથે એકાકાર એવા પરમ સમરસ રાગદ્વેષરહિત ભાવે પરિણમવાથી કાર્ય જે અનંતસુખરૂપ મોક્ષફળ, તેનું અપેક્ષાએ એકદેશ શુદ્ધ નિશ્ચયનયથી, શુદ્ધ ઉપાદાન કારણ હોવાથી તે નિર્વિકલ્પ
સ્વસંવેદનરૂપ ભેદજ્ઞાન મુક્તિનું કારણ થાય છે. તેથી કલશ ૧૩૧માં કહ્યું છે કે “જે કોઈ સિદ્ધ થયા છે તે ખરેખર ભેદજ્ઞાનથી જ સિદ્ધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org