SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૯૭ (શુભાશુભભાવ) રૂપ પરસમય તેને ત્યાગીને સ્વયં દીક્ષાસ્વરૂપ બનીને, દર્શનજ્ઞાનચારિત્રમાં સ્થિતિ કરવારૂપ સ્વસમયને ધારણ કરીને અને એ રીતે મોક્ષમાર્ગને આત્મામાં પરિણમાવીને, સંપૂર્ણ વિજ્ઞાનઘન સ્વભાવને સારી રીતે પ્રાપ્ત થયેલું, તેમજ પરભાવના ત્યાગગ્રહણથી રહિત સાક્ષાત્ સમયસાર એવું પરમાર્થરૂપ શુદ્ધ જ્ઞાન જ એક અવસ્થિત રહેલું જોવું જોઈએ. શાર્દૂલવિક્રીડિત अन्येभ्यो व्यतिरिक्तमात्मनियतं बिभ्रत्पृथग्वस्तुतामादानोज्झनशून्यमेतदमलं ज्ञानं तथावस्थितम् । मध्याद्यन्तविभागमुक्तसहजस्फारप्रभाभासुरः शुद्धज्ञानघनो यथाऽस्य महिमा नित्योदितस्तिष्ठति ॥२३५ ॥ અન્યથી ભિન્ન અને પોતાના સ્વરૂપમાં નિયત, પોતાની ભિન્નવસ્તુતા-સ્વતંત્ર વ્યક્તિત્વને ધારણ કરતું, અન્યના ગ્રહણત્યાગથી રહિત, એવું આ નિર્મળ જ્ઞાન એવી રીતે રહેલું છે કે જે રીતે આદિમધ્યઅંત રહિત સહજ ફેલાયેલી પ્રભાવડે દેદીપ્યમાન એવો એનો શુદ્ધ જ્ઞાનધન મહિમા સદા ઉદયમાન રહે છે. (કલશ ૨૩૫) એવા જ્ઞાનસ્વરૂપ આત્માનું ધારણ કરવું તે જ કૃતકૃત્યતા છે તે કહે છે : ' ઉપજાતિ उन्मुक्तमुन्मोच्यमशेषतस्तत् तथात्तमादेयमशेषतस्तत् । यदात्मनः संहृतसर्वशक्तेः पूर्णस्य संधारणमात्मनीह ॥ २३६ ॥ પોતાની સર્વ શક્તિઓને પરમાં જતી રોકીને જેણે આત્મામાં લીન કરી છે-અંતર્મુખ કરી છે, એવા પૂર્ણ આત્માનું આત્મામાં જે સારી રીતે ધારણ થવું, તે આ લોકમાં અશેષ ત્યાગ કરવા યોગ્ય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy