________________
૨૯૬
શ્રી સમયસાર વ્યવહારથી આત્મા નવતત્ત્વથી અભિન્ન છે, પરંતુ નિશ્ચયથી તો નવે તત્ત્વથી ભિન્ન સંકોત્કીર્ણ એક જ્ઞાયક પદાર્થ હોવાથી જ્ઞાન સંજ્ઞાથી ઓળખાય છે.
તે જ્ઞાન ગદ્યપદ્યાદિ વિચિત્ર રચનાપૂર્વક રચાયેલા શાસ્ત્રથી ભિન્ન છે તેથી જ્ઞાન જાદુ છે ને તે વિષયો જાદા છે. તેમ જ જ્ઞાનાવરણીય આદિ દ્રવ્યકર્મો અચેતન હોવાથી કંઈ જાણતા નથી તેથી જ્ઞાન જુદું છે ને તે દ્રવ્ય કર્મ જાદાં છે, એમ જિનેશ્વર કહે છે. તે પ્રમાણે બાકીનાં દ્રવ્યો ધર્મ, અધર્મ, કાલ, આકાશ પણ જ્ઞાન નથી કારણ કે તે તે દ્રવ્યો કંઈ જાણતા નથી; તેથી જ્ઞાન જાદુ છે અને તે અચેતન દ્રવ્યો જાદાં છે એમ જિનેશ્વરો કહે છે. વળી મનમાં જે વિકલ્પરૂપ અધ્યવસાન થાય છે તે પણ જ્ઞાન નથી, કારણ કે તે અધ્યવસાન અચેતન હોવાથી કંઈ જાણતા નથી, તેથી જ્ઞાન જુદું છે ને તે અધ્યવસાન જુદા છે, એમ જિનેશ્વર કહે છે. આ પ્રમાણે જ્ઞાનનું સર્વ પરદ્રવ્યથી ભિન્નપણે નિશ્ચયથી સિદ્ધ છે. એક માત્ર આત્મા જ જ્ઞાયક હોવાથી જ્ઞાન અને આત્માનું અભિન્નપણું સિદ્ધ છે. આત્મા ગુણી છે ને જ્ઞાન ગુણ છે તેથી બે ભિન્ન પદાર્થો છે ? એવી કોઈએ શંકા કરવી નહિ. કારણ કે આત્મા ને જ્ઞાન એ બન્ને અભિન્ન જ છે તેવી રીતે આત્માના અન્ય ગુણો પણ આત્માથી અભિન્ન હોવાથી જ્ઞાન જ સમ્યગ્દર્શન છે, જ્ઞાન જ સંયમ છે, જ્ઞાન જ અંગ-પૂર્વરૂપ ભાવકૃત છે, જ્ઞાન જ ધર્મઅધર્મ (શુભાશુભ ભાવ) છે, જ્ઞાન જ દીક્ષા અથવા ત્યાગ છે. એમ જ્ઞાનની આત્માના સર્વ ગુણ અને સ્વભાવ-વિભાવ પર્યાયો સાથે નિશ્ચયથી અભિન્નતા સિદ્ધ છે. આ પ્રકારે સર્વ પરદ્રવ્યથી ભિન્નતા અને સમ્યગ્દર્શનાદિ સ્વપર્યાયોથી જ્ઞાનની અભિન્નતા જાણવાવડે અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષોને દૂર કરનારું, અનાદિ વિભ્રમનું મૂળ જે ધર્માધર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org