________________
૨૯૨.
શ્રી સમયસાર
चैतन्यलक्ष्म भजतो भृशमात्मतत्त्वं
कालावलीयमचलस्य वहत्वनंता ॥२३१॥ " એમ સંપૂર્ણ કર્મફલનો ત્યાગ કરવાથી, સર્વ અન્ય ક્રિયાના પ્રવર્તનથી જેની વૃત્તિ નિવર્તી છે એવા મને, આત્મસ્વભાવમાં અચળ થયેલાને-ચૈતન્યલક્ષણવાળા આત્મતત્ત્વને અત્યંતપણે ભજતાં અનંત કાળપ્રવાહ એ પ્રમાણે જ વ્યતીત થાઓ. અર્થાત્ કર્મચેતના અને કર્મફલચેતનાથી નિવતને જ્ઞાનચેતનામાં પ્રવર્તતાં હું તેમાં જ ચિરકાળ સ્થિર રહું.
| (કલશ ૨૩૧) |
વસંતતિલકા यः पूर्वभावकृतकर्मविषद्रुमाणां भुंक्ते फलानि न खलु स्वत एव तृप्तः । आपातकालरमणीयमुदर्करम्यं निष्कर्मशर्ममयमेति दशांतरं सः ॥२३२ ॥
પૂર્વે અજ્ઞાનભાવથી ઉપાર્જન કરેલાં કર્મોરૂપી વિષવૃક્ષોનાં ફળો ઉદય આવે છે તેને જે ભોગવતા નથી (પુણ્ય પાપના ઉદયમાં રુચિ અરુચિ કરતા નથી, હું ભોગવું છું એવો ભાવ કરતા નથી) પરંતુ સ્વાનુભવથી જ તૃપ્ત રહે છે, તેઓ વર્તમાનકાળ (સંસારમાં સ્વર્ગાદિ સુખોથી) રમણીય અને ભાવિમાં પણ (મોક્ષરૂપ ફળને આપનાર હોવાથી) રમ્ય એવી કર્મભાવથી રહિત સ્વાધીન સુખરૂપ અન્ય દશાને પામે છે.
. (કલશ ૨૩૨)
સ્ત્રગ્ધરા अत्यंतं भावयित्वा विरतिमविरतं कर्मणस्तत्फलाच्च प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसंचेतनायाः । पूर्णं कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसंचेतनां स्वां सानंदं नाटयंतः प्रशमरसमितः सर्वकालं पिबंतु ॥२३३॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org