SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૨૯૧ કરીને--ત્યાગીને, શુદ્ધ નિશ્ચયનયનું અવલંબન લેનારો અને મોહ જેનો વિલય પામ્યો છે એવો હું, વિકારોથી રહિત ચૈતન્યમાત્ર આત્માનું અવલંબન કરું છું. (કલશ ૨૨૯) (૨) હવે સકલ કર્મફલચેતનાત્યાગની ભાવનાને ભાવે છેઃ આર્યા विगलंतु कर्मविषतरुफलानि मम भुक्तिमन्तरेणैव । संचेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानम् ૨૩૦ ॥ પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મરૂપી વિષુવૃક્ષનાં ફળો મારા ભોગવ્યા સિવાય જ ગળી જાઓ ! અર્થાત્ પુણ્ય તથા પાપ બન્ને વિના ભોગવ્યે નાશ પામો. હું તો ચૈતન્યસ્વરૂપ મારા આત્માને જ અચળપણે સમ્યક્ પ્રકારે ભોગવું છું. (ક્લશ ૨૩૦) હવે કર્મલચેતનાનો વિસ્તાર કરતાં દરેક પ્રકૃતિને અનુક્રમે લઈને તેના ત્યાગની ભાવનાને ભાવે છે : (૧) હું ઉદય આવતા મતિજ્ઞાનાવરણીય કર્મના ફળને ભોગવતો નથી, ચૈતન્યસ્વરૂપ મારા આત્માને જ સમ્ય ્ પ્રકારે ભોગવું છું અનુભવું છું. એ પ્રમાણે ૫ જ્ઞાનાવરણીયની, ૯ દર્શનાવરણીયની, ૨ વેદનીયની, ૨૮ મોહનીયની, ૪ આયુની, ૯૩ નામકર્મની, ૨ ગોત્રની, અને ૫ અંતરાયની એમ કુલ ૧૪૮ કર્મપ્રકૃતિના ફલના ત્યાગની ભાવનાને અનુક્રમે ભાવીને ચૈતન્યસ્વરૂપ આત્મામાં જ સભ્યપ્રકારે સ્થિરતા કરે છે. વસંતતિલકા निःशेषकर्मफलसंन्यसनान्ममैवं सर्वक्रियांतरविहारनिवृत्तवृत्तेः Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy