________________
૨૯૦
શ્રી સમયસાર
પૂર્વે મોહના વિલાસથી ઉત્પન્ન કરેલાં જે આ કર્મ, વિકાસ પામીને વર્તમાનમાં ઉદય આવે છે, તે સમસ્ત કર્મને આલોચીને, ભિન્ન વિચારીને ચૈતન્યસ્વરૂપ નિષ્કર્મ આત્મામાં આત્માવડે હું નિત્ય વર્તુ છું.
(કલશ ૨૨૭) એ જ પ્રમાણે ભવિષ્ય સંબંધી પ્રત્યાખ્યાનના ૪૯ ભેદ થાય છે તે નીચે પ્રમાણે :
(૧) મનથી હું કર્મ કરીશ નહિ. (૨) વચનથી હું કર્મ કરીશ નહિ.
(૪૯) મનથી વચનથી કાયાથી હું કર્મ કરીશ કરાવીશ અનુમોદીશ નહિ.
એમ ભવિષ્ય સંબંધી પ્રત્યાખ્યાનના ૪૯ ભેદ થાય છે તે વિચારી લેવા.
આર્યા प्रत्याख्याय भविष्यत् कर्म समस्तं निरस्तसंमोहः ।। आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ॥२२८॥
એમ ભવિષ્ય સંબંધી સર્વ કર્મનું પ્રત્યાખ્યાન કરીને મોહ રહિત થયેલો એવો હું ચૈતન્યસ્વરૂપનિષ્કર્મ આત્મામાં આત્માવડે નિત્ય વર્તુ છું.
(કલશ ૨૨૮) | ઉપજાતિ समस्तमित्येवमपास्य कर्म त्रैकालिकं शुद्धनयावलंबी । विलीनमोहो रहितं विकारैश्चिन्मात्रमात्मानमथावलंबे ॥२२९ ॥
આ પ્રમાણે ત્રણે કાળનાં સમસ્ત કર્મને આત્માથી ભિન્ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org