SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ શ્રી સમયસાર બે પ્રકાર છે. તે અજ્ઞાનચેતનાવડે જીવને સંસાર-દુઃખનાં બીજ એવાં આઠ કર્મ બંધાય છે. તેથી મોક્ષની ઇચ્છાવાળા પુરુષે અજ્ઞાનચેતનાના નાશને માટે સર્વકર્મસંન્યાસત્યાગ)ની તથા સર્વકર્મફલસંન્યાસની ભાવનાને નચાવીને (સારી રીતે ભાવીને) આત્મસ્વભાવભૂત એક માત્ર ભગવતી જ્ઞાનચેતના જ સદા ધારણ કરવી જોઈએ. તે અજ્ઞાનચેતનાના ત્યાગની ભાવનાને વિવિધ પ્રકારે નીચે મુજબ ભાવે છે. (૧) પ્રથમ સકલ કર્મચેતનાત્યાગની ભાવનાને ભાવે છે - આર્યા कृतकारितानुमननैस्त्रिकालविषयं मनोवचनकायैः । परिहत्य कर्म सर्वं परमं नैष्कर्म्यमवलम्बे ॥२२५ ।। મનથી, વચનથી અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એ ત્રિવિધ ત્રિવિધરૂપ તથા ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એ ત્રિકાલ સંબંધીના સર્વ કર્મોને છોડીને હું પરમ નિષ્કર્મતારૂપ જ્ઞાનચેતનાનું અવલંબન કરું છું. (કલશ ૨૨૫) ઉપરના કલશમાં આપેલા નવ ભેદોના સંબંધ કરવાવડ કર્મચેતનાત્યાગની ભાવનાને વિસ્તારથી ભાવે છે. તેમાં ભૂતકાળ સંબંધી પ્રતિક્રમણના ૪૯ ભેદ થાય છે તે નીચે પ્રમાણે : (૧) મનથી (૨) વચનથી (૩) કાયાથી (૪) મનવચનથી (૫) વચનકાયાથી (૬) મનકાયાથી (૭) મનવચનકાયાથી... (૧) કર્યું (૨) કરાવ્યું (૩) અનુમોધું (૪) કર્યું કરાવ્યું (૫) કરાવ્યું અનુમોધું (૬) કર્યું અનુમોઘું (૭) કર્યું કરાવ્યું અનુમોધું. ૧. મનથી મેં જે કર્મ કર્યું તે મારું દુષ્કત મિથ્યા થાઓ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy