________________
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
कम्मं जं पुव्वकयं सुहासुहमणेयवित्थरविसेसं । तत्तो णियत्तए अप्पयं तु जो सो पडिक्कमणं ॥ ३८३ ॥ कम्मं जं सुहमसुहं ज िय भावह्नि बज्झइ भविस्सं तत्तो णियत्तए जो सो पच्चक्खाणं हवइ चेया ॥ ३८४ ॥ जं सुहमसुहमुदिण्णं संपदि य अणेयवित्थरविसेसं !
।
तं दोसं जो चेयइ सो खलु आलोयणं चेया ॥ ३८५ ॥ णिच्चं पच्चक्खाणं कुव्वइ णिच्चं पडिक्कमदि यो य । णिच्चं आलोचेयइ सो हु चरितं हवइ चेया ॥ ३८६ ॥ કર્મ શુભાશુભ પૂર્વકૃત, બહુ વિસ્તાર પ્રકાર; આત્મા તેથી નિવર્તતો, પ્રતિક્રમણ તે સાર. ૩૮૩ ભાવિ શુભાશુભ કર્મના, ભાવો બંધ-નિદાન; તેથી નિવર્તે આતમા, તે છે પ્રત્યાખ્યાન. ૩૮૪ ઉદય શુભાશુભ કર્મનો, વર્તમાનમાં હોય; જ્ઞાયક જાણે દોષ તે, જીવ આલોચન સોય. ૩૮૫ પ્રત્યાખ્યાન સદા કરે, વળી પ્રતિક્રમણ પવિત્ર; આલોચન કરતો ખરે, આત્મા તે ચારિત્ર. ૩૮૬
ખરેખર જે આત્મા પુદ્ગલકર્મવિપાકથી થતાં ભાવોથી પોતાને પાછો વાળે છે, તે આત્મા કારણભૂત પૂર્વકર્મને પ્રતિક્રમતો (ઓળંગી જતો) પોતે જ પ્રતિક્રમણરૂપ થાય છે, કર્મના કાર્યભૂત ભવિષ્ય કર્મનું પ્રત્યાખ્યાન કરતો પોતે જ પ્રત્યાખ્યાનરૂપ થાય છે, અને વર્તમાન કર્મવિપાકને આત્માથી અત્યંત ભિન્ન વિચારતો પોતે જ આલોચનારૂપ થાય છે.
૨૮૫
એ પ્રમાણે નિરંતર પ્રતિક્રમણ કરતો, નિરંતર પ્રત્યાખ્યાન કરતો, નિરંતર આલોચના કરતો-પૂર્વકર્મના કાર્યરૂપ અને આગામી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org