________________
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૨૮૩ પણ આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે. એમ સ્વરૂપથી જ જાણતા તે આત્માને, વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પ્રાપ્ત થતા સારા નરસા શબ્દાદિ બાહ્ય પદાર્થો લેશ પણ વિક્રિયાને માટે થતા નથી.
આ પ્રમાણે આત્મા જાણવામાં આવતાં પદાર્થોથી સદા ઉદાસીન જ છે, એમ વસ્તુસ્થિતિ છે. તેમ છતાં જે રાગાદિ થાય છે, તેનું કારણ અજ્ઞાન છે. કેમકે પોતાનું સ્વરૂપ ન જાણનાર અજ્ઞાની જીવને રાગ દ્વેષ થાય છે. કારણ-સમયસારથી યુક્ત જ્ઞાનીને રાગદ્વેષ થતા નથી. - શંકા :- બંધ અધિકારની ગાથા ર૭૮,૨૭૯ માં આપે કહ્યું હતું કે રાગાદિમાં પર એવું દ્રવ્યકર્મ નિમિત્ત છે અને આત્મા તો સ્ફટિક સમાન શુદ્ધ છે અને અહીં રાગાદિ થવામાં પરદ્રવ્ય કારણ નથી પરંતુ આત્માનો બુદ્ધિદોષ અથવા અજ્ઞાન કારણ છે એમ કહો છો, એ પૂર્વાપર વિરોધ છે.
સમાધાન - ત્યાં બંધ અધિકારમાં જ્ઞાની જીવની મુખ્યતા હતી, તેથી જ્ઞાની રાગાદિમાં પરિણમતા નથી એમ કહ્યું હતું અને અહીં અજ્ઞાની જીવને સંબોધીને કહ્યું છે, તેથી વિરોધ નથી. વ્યવહાર અને નિશ્ચય કારણસમયસારથી રહિત અજ્ઞાની જીવ પોતાની બુદ્ધિના દોષથી શબ્દાદિ વિષયોને બહાને રાગાદિ રૂપે પરિણમે છે, તેમાં પર એવા શબ્દાદિનો દોષ નથી એમ અહીં કહેવું છે.
શાર્દૂલવિક્રીડિત पूर्णकाच्युतशुद्धबोधमहिमा बोधो न बोध्यादयं । यायात्कामपि विक्रियां तत इतो दीपः प्रकाश्यादिव । तद्वस्तुस्थितिबोधवंध्यधिषणा एते किमज्ञानिनो रागद्वेषमयी भवंति सहजां मुंचंत्युदासीनताम् ॥२२२ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org