SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ શ્રી સમયસાર ગુણ શુભાશુભ ના કહે, “જાણ મને તું' એમ; જીવ પણ ગ્રહવા જાય ના, મતિગોચર ગુણ તેમ; ૩૮૦ દ્રવ્ય શુભાશુભ ના કહે, “જાણ મને તું એમ; જીવ પણ ગ્રહવા જાય ના, દ્રવ્ય મતિગત તેમ. ૩૮૧ મૂઢ આવું જાણ્યા છતાં, બને ન ઉપશમવંત; શિવબુદ્ધિ પામ્યા વિના, પરગ્રહણે મતિમંત ૩૮૨ ઘટ વગેરે પદાર્થોને પ્રદીપ પ્રકાશે છે ત્યારે જેમ કોઈ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કહે તેમ ઘટાદિ બાહ્ય પદાર્થો “મને પ્રકાશિત કરો” એમ પ્રદીપને પ્રેરણા કરતા નથી અને પ્રદીપ પણ લોહચુંબકથી આકર્ષાયેલી સોયની જેમ પોતાનું સ્થાન છોડીને પ્રકાશવા માટે ઘટાદિની સમીપ જતો નથી. પરંતુ પ્રકાશવું એ પ્રદીપનો સ્વભાવ છે. તે વસ્તુસ્વભાવ હોવાથી પરથી ઉત્પન્ન થવા તથા પરને ઉત્પન્ન કરવાને અશક્ય છે. તેથી ઘટાદિની હાજરીમાં કે ગેરહાજરીમાં પણ પ્રદીપ પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે. એમ સ્વરૂપથી જ પ્રકાશતા તે પ્રદીપને, વસ્તુસ્વભાવથી જ વિચિત્રરૂપે પરિણામેલા સારા નરસા ઘટપટાદિ પદાર્થો લેશ પણ વિક્રિયા માટે થતા નથી. તેવી રીતે આત્મા બાહ્ય પદાર્થોને જાણે છે ત્યારે તે પદાર્થો ને તેના ગુણો શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ આદિ જેમ કોઈ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કહે તેમ “મને સાંભળ ,” “મને જો” “મને સુંધ” મને ચાખ,” “મને સ્પર્શ” એમ પોતાને જાણવાના કાર્યમાં આત્માને જોડતા નથી; અને આત્મા પણ લોહચુંબકથી આકર્ષાયેલી સોયથી જેમ પોતાનું સ્થાન છોડીને જાણવા માટે તે વિષયોની સમીપ જતો નથી. પરંતુ જાણવું એ આત્માનો સ્વભાવ છે. તે વસ્તુ સ્વભાવ હોવાથી પરથી ઉત્પન્ન થવા તથા પરને ઉત્પન્ન કરવાને અશક્ય છે. તેથી વિષયોની હાજરીમાં કે ગેરહાજરીમાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy