________________
૨૮૦
શ્રી સમયસાર
તાત્પર્ય કે અનાદિકાળથી સંસારમાં ભમતાં મોક્ષમાર્ગ એટલે કારણસમયસારની પ્રાપ્તિ થવી ઉત્તરોત્તર અત્યંત દુર્લભ છે. તે જ્યારે કાળલબ્ધિ પામીને જીવ મિથ્યાત્વાદિ સાત પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય કરે અને ચારિત્રમોહનો પણ ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય કરે ત્યારે તત્ત્વની શ્રદ્ધા, જ્ઞાન અને રાગદ્વેષરહિત ચારિત્ર એમ ભેદ રત્નત્રયાત્મક વ્યવહાર-કારણસમયસાર પ્રાપ્ત થાય છે, જેનાથી શુદ્ધાત્મતત્ત્વના શ્રદ્ધાનજ્ઞાનચારિત્રરૂપ અભેદ રત્નત્રયાત્મક, નિર્વિકલ્પસમાધિરૂપ નિશ્ચય-કારણસમયસારની પ્રાપ્તિ થાય છે. તેનાથી કેવલજ્ઞાનાદિ અનંતચતુષ્ટયની પ્રાપ્તિરૂપ કાર્યસમયસારની પ્રાપ્તિ થાય છે. બાહ્ય ઉપાયોરૂપ વ્યવહાર મોક્ષમાર્ગ અને આત્માની શુદ્ધિરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ એમ કારણસમયસાર બે પ્રકારે છે. તે કારણસમયસારથી રહિત અજ્ઞાની જીવને વિષયોમાં રાગદ્વેષ થાય છે.
તેનાં અજ્ઞાન અને રાગદ્વેષ દૂર કરવા અહીં ઉપદેશ આપે
प्रिंदियसंथुयवयणाणि पोग्गला परिणमंति बहुयाणि । ताणि सुणिऊण रूसइ तूसइ य पुणो अहं भणिओ ॥३७३॥ पोग्गलदव्वं सद्दत्तपरिणयं तस्स जइ गुणो अण्णो । तह्मा ण तुमं भणिओ किंचिवि किं रूससि अबुद्धो ॥३७४॥ असुहो सुहो व सद्दो ण तं भणइ सुणसु मंति सो चेव । ण य एइ विणिग्गहिउं सोयविसयमागयं सदं ॥३७५॥ असुहं सुहं व रूवं ण तं भणइ पिच्छ मंति सो चेव । ण य एइ विणिग्गहिउं चक्खुविसयमागयं रूवं ॥३७६॥ असुहो सुहो व गंधो ण तं भणइ जिग्घ मंति सो चेव । ण य एइ विणिग्गहिउं घाणविसयमागयं तु गंधं ॥३७७॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org