________________
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૨૭૯ જેવી રીતે માટીનો ઘડો બને છે તે કુંભારરૂપે થતો નથી પરંતુ અચેતન માટીરૂપે જ રહે છે, તેમ દરેક દ્રવ્ય પર્યાય પલટવા છતાં પોતાના સ્વભાવે જ ઉત્પન્ન થાય છે. એક દ્રવ્ય અન્ય દ્રવ્યના ગુણોને ઉત્પન્ન કરી શકે નહિ; કારણકે દ્રવ્ય પોતાના ગુણોમાં જ પરિણમે છે, પોતાથી ભિન્ન એવા નિમિત્તના ગુણોને ધારણ કરતું નથી. તેથી રાગાદિને ઉત્પન્ન કરનાર પારદ્રવ્ય છે એમ અમે માનતા નથી. માટે તે વિષયાદિ પરદ્રવ્ય પ્રત્યે અમે કોપ કરતા નથી. '
માલિની यदिह भवति रागद्वेषदोषप्रसूतिः कतरदपि परेषां दूषणं नास्ति तत्र । स्वयमयमपराधी तत्र सर्पत्यबोधो
भवतु विदितमस्तं यात्वबोधोऽस्मि बोधः ॥२२० ॥
આ જગતમાં જે રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે, તેમાં પરદ્રવ્યનો જરા પણ દોષ નથી. આ આત્મા પોતે અપરાધી થાય ત્યારે ત્યાં અજ્ઞાન ફેલાય છે, એમ સર્વને વિદિત થાઓ, અને તે અજ્ઞાન અસ્ત પામો. હું તો જ્ઞાનરૂપ છું.
(કલશ ૨૨૦) રથોદ્ધતા रागजन्मनि निमित्ततां परद्रव्यमेव कलयंति ये तु ते । उत्तरंति न हि मोहवाहिनीं
। शुद्धबोधविधुरांध बुद्धयः ॥२२१॥ રાગદ્વેષની ઉત્પત્તિમાં જે પરદ્રવ્યને જ કારણ માને છે, તે શુદ્ધબોધથી રહિત અંધબુદ્ધિવાળાઓ મોહરૂપી નદીને ઓળંગી શક્તા જ નથી.
" (કલશ ૨૨૧)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org