________________
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૨૭૭ સર્વે પરદ્રવ્યમાં નથી એમ સમ્યફ રીતે અમે દેખીએ છીએ. નહિ તો ઉપર કહ્યું તેમ જીવગુણના ઘાતથી પુદ્ગલદ્રવ્યનો ઘાત અને પુદ્ગલદ્રવ્યના ઘાતથી જીવગુણનો ઘાત અનિવાર્યપણે થવો સંભવે. જો એમ છે તો સમ્યગ્દષ્ટિને વિષયોમાં રાગ ક્યાંથી થાય? અર્થાત્ ન જ થાય. તો પછી રાગાદિને ઉત્પન્ન કરનારી ખાણ કઈ છે ? અર્થાત્ રાગદ્વેષની ઉત્પત્તિ શાથી છે?
રાગદ્વેપમોદાદિ જીવનાં જ અજ્ઞાનમય. પરિણામ છે, તેથી ચેતન છે અને વિષયો અચેતન પરદ્રવ્ય હોવાથી તે રાગદ્વેષાદિ વિષયોમાં વર્તતા નથી. વળી તે અજ્ઞાનમય ભાવ હોવાથી સમ્યગ્દષ્ટિને સંભવતા નથી. એમ વિષયોમાં ન વર્તતા અને સમ્યગદૃષ્ટિને ન સંભવતા તે રાગદ્વેષ નિશ્ચયથી અભાવરૂપ જ છે. અર્થાત્ રાગદ્વેષની ઉત્પત્તિ અજ્ઞાનથી છે, જ્ઞાનવૃષ્ટિથી જોતાં તે જણાતા નથી.
- તાત્પર્ય કે દર્શનજ્ઞાનચારિત્ર ચેતનના ગુણો છે તે અચેતન એવા શબ્દાદિ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મમાં અને ઔદારિકાદિ પાંચ શરીરમાં નથી. તેથી તે વિષયાદિનો ઘાત કરવાનું આત્માને શું પ્રયોજન છે ? પરંતુ શબ્દાદિ પંચેન્દ્રિયના વિષયોની અભિલાષારૂપ, દ્રવ્યકર્મના નિમિત્તભૂત અને કાયાના મમત્વરૂપ જે મિથ્યાજ્ઞાન છે તેનો નિર્વિકલ્પ સમાધિદ્વારા ઘાત કરવો જોઈએ. તેવી જ રીતે મિથ્યાચારિત્રનો ત્યાગ કરવો એ જ રાગદ્વેષ દૂર કરવાનો ઉપાય છે.
મંદાક્રાંતા रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञानभावात् तौ वस्तुत्वप्रणिहितदृशा दृश्यमानौ न किंचित् ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org