________________
ર૭૬
શ્રી સમયસાર
रागो दोसो मोहो जीवस्सेव य अणण्णपरिणामा । एएण कारणेण उ सद्दादिसु णत्थि रागादि ॥३७१॥ દર્શન-જ્ઞાન-ચરિત્ર તો, જડ વિષયે ન જરાય; તેથી તે વિષયો તણો, ઑવ હત્તા ન ગણાય. ૩૬૬ દર્શન-જ્ઞાન-ચરિત્ર તો, જડ કર્મે ન જરાય; તેથી તે જડ કર્મનો, ઑવ હત્તા ન ગણાય. ૩૬૭ દર્શન-જ્ઞાન-ચરિત્ર તો, જડ કાયે ન જરાય; તેથી તે જડ કાયનો, જીવ હત્તા ન ગણાય. ૩૬૮ દર્શન-શાન-ચરિત્રનો, જીવ કરે ઉપઘાત; પણ નહિ પુદ્ગલ દ્રવ્યનો, સિદ્ધાન્ત વિખ્યાત. ૩૬૯ પરદ્રવ્ય એકેય ના, જીવગુણ ખરે જણાય; તેથી ન સમ્યવ્રુષ્ટિને, વિષયે રાગ જરાય. ૩૭૦ રાગ દ્વેષ ને મોહ એ, ઑવના અનન્ય ભાવ; તેથી ન શબ્દાદિક વિષે, રાગાદિક-સદ્ભાવ. ૩૭૧
જે જેથી અભિન્ન હોય તે તેના ઘાતથી હણાય છે. જેમકે પ્રદીપના ઘાતથી પ્રકાશ હણાય છે અને પ્રકાશના ઘાતથી પ્રદીપ હણાય છે. પરંતુ જે જેથી ભિન્ન હોય તે તેના ઘાતથી હણાય નહિ. જેમકે ઘડામાં રહેલ દીપક ઘડાથી ભિન્ન છે, તેથી તે દીપકના ઘાતથી ઘડાનો નાશ થતો નથી અને ઘડાના ઘાતથી દીપકનો નાશ થતો નથી. તેવી રીતે આત્માના ધર્મ જ્ઞાનદર્શનચારિત્ર છે તે પુદ્ગલદ્રવ્યના ઘાતથી હણાતા નથી અને જ્ઞાનદર્શનચારિત્રના ઘાતથી ૫ગલ દ્રવ્યનો નાશ થતો નથી. તેથી દર્શનશાનચારિત્ર પુદ્ગલદ્રવ્યમાં નથી, એમ સિદ્ધ થાય છે. નહિ તો પુદ્ગલદ્રવ્યના ઘાતથી જ્ઞાનાદિનો ઘાત ને જ્ઞાનાદિના ઘાતથી પુદ્ગલદ્રવ્યનો ઘાત અનિવાર્યપણે થાય. એ જ પ્રમાણે જે કોઈ પણ જીવના ગુણો છે, તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org