________________
૨૬૬
શ્રી સમયસાર લોકમાં બુદ્ધિમાન પુરુષો વડે સૂત્રમાં પરોવેલી માળા સમાન આત્મામાં પરોવાયેલી ચૈતન્યના ભાવરૂપ ચિંતામણિની માળા કદાપિ ભિન્ન કરી શકાતી નથી, તેથી તે અમને ચારે બાજાથી અખંડ એકરૂપે જ પ્રકાશો.
(કલશ ૨૦૯) ભાવાર્થ - પર્યાય સહિત છતાં આત્મા વસ્તુપણે એક અખંડ છે.
રથોદ્ધતા व्यावहारिकदृशैव केवलं कर्तृ कर्म च विभिन्नमिष्यते । निश्चयेन यदि वस्तु चिंत्यते कर्तृ कर्म च सदैकमिष्यते ॥२१०॥
વ્યવહારદૃષ્ટિથી જ માત્ર કર્તા અને કર્મ ભિન્ન મનાય છે. જો નિશ્ચય-પરમાર્થદ્રષ્ટિથી વસ્તુનો વિચાર કરવામાં આવે તો કર્તા અને કર્મ સદા એકરૂપે મનાય. ' (કલશ ૨૧૦)
હવે વસ્તુસ્થિતિ જેમ છે તેમ વ્યવહાર અને નિશ્ચયનયથી સ્યાદ્વાદપૂર્વક દર્શાવે છે. અર્થાત્ વ્યવહારથી ભાવકર્મને નિમિત્તે જે દ્રવ્યકર્મ બંધાય છે અને આત્માને વિભાવમાં પ્રેરનાર પુણ્યપાપરૂપે જે દ્રવ્યકર્મ ઉદય આવે છે, તેનો આત્મા ભિન્નપણે કર્તા ને ભોક્તા મનાય છે; અને નિશ્ચયથી તો પોતાનાં સમયે સમયે થતાં પરિણામરૂપ ભાવકર્મનો જ આત્મા કર્તા તેમ જ ભોક્તા છે. તે દૃષ્ટાંત દ્વારા કહે છે : जह सिप्पिओ उ कम्मं कुव्वइ ण य सो उ तम्मओ होइ। तह जीवो वि य कम्मं कुव्वइ ण य तम्मओ होइ ॥३४९॥ जह सिप्पिओ उ करणेहिं कुव्वइ ण सो उ तम्मओ होइ । तह जीवो करणेहिं कुव्वइ ण य तम्मओ होइ ॥३५०॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org