SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર અવસ્થાભેદોનું ક્ષણિકપણું હોવા છતાં વૃત્તિમ-દ્રવ્ય-વસ્તુરૂપ ચૈતન્યચમત્કાર જે ટંકોત્કીર્ણ છે તેનો અંતરમાં પ્રતિભાસ થાય છે. તેથી વસ્તુ એકાન્તે નિત્ય કે અનિત્ય નથી. શાર્દૂલવિક્રીડિત $ आत्मानं परिशुद्धमीप्सुभिरतिव्याप्तिं प्रपद्यान्धकैः कालोपाधिबलादशुद्धिमधिकां तत्रापि मत्वा परैः । चैतन्यं क्षणिकं प्रकल्प्य पृथुकैः शुद्धर्जुसूत्रेरितै - रात्मा व्युज्झित एष हारवदहो निःसूत्रमुक्तैक्षिभिः ॥ २०८ ॥ ૨૬૫ સર્વથા શુદ્ધ આત્માને ગ્રહણ કરવાની ઇચ્છાવાળા પોતાને માનતા, વધારે સમયવાળો આત્મા લેતાં તેમાં કાળની ઉપાધિ લાગીને અતિવ્યાપ્તિ થવાથી ઘણી અશુદ્ધિ આવશે એમ માનીને, વર્તમાન સમયવર્તી પર્યાયને ગ્રહણ કરનાર શુદ્ધ ઋસૂત્રનયથી પ્રેરાયેલા એવા કેટલાક ટૂંકી દૃષ્ટિવાળાઓ તથા પૃથુકો (બૌદ્ધો)એ આત્માને ક્ષણિક કલ્પીને, સૂત્ર રહિત માત્ર એક એક મોતીને જોનાર જેમ હારને તજી દે તેવી રીતે, દ્રવ્ય અને પર્યાયથી નિત્યાનિત્ય એવો જે વાસ્તવિક આત્મા તેને છોડી દીધો છે. (કલશ ૨૦૮) वा શાર્દૂલવિક્રીડિત कर्तुर्वेदयितुश्च युक्तिवशतो भेदोऽस्त्वभेदोऽपि कर्ता वेदयिता च मा भवतु वा वस्त्वेव संचिंत्यताम् । प्रोता सूत्र इवात्मनीह निपुणैर्भेत्तुं न शक्या क्वचित् चिच्चिन्तामणिमालिकेयमभितोऽप्येका चकास्त्वेव नः ॥ २०९ ॥ યુક્તિના વશથી ભલે આત્મામાં કર્તા અને ભોક્તાનો ભેદ હો કે અભેદ હો અથવા આત્મા કર્તા અને ભોક્તા નથી એમ પણ હો પરંતુ તેમાં વસ્તુનો જ યથાર્થ વિચાર થવો જોઈએ, કારણ કે આ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy