________________
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
પુદ્ગલને મિથ્યાત્વ જો, કરે પ્રકૃતિ જીવ બેય; તો હિષ્કૃત ફલ તેહનું, વેદે પણ બન્નેય. ૩૩૦ પ્રકૃતિ, જીવ કરે ન જો, પુદ્ગલને મિથ્યાત્વ; પુદ્ગલ મિથ્યાત્વી ઠરે, મિથ્યા મત સાક્ષાત. ૩૩૧
(૧) જો મિથ્યાત્વપ્રકૃતિનો ઉદય આત્માને મિથ્યાવૃષ્ટિ કરે છે એમ હું માને તો તે તારી અચેતન પુદ્ગલ પ્રકૃતિ કર્તા થઈ અને આત્મા અકર્તા થયો. તેથી બંધનો અભાવ થતાં સંસારનો પણ અભાવ થાય. એ પ્રત્યક્ષ વિરોધ છે.
(૨) અથવા જો આ જીવ પુદ્ગલ દ્રવ્યને ભાવમિથ્યાત્વરૂપ કરે છે પરંતુ પોતે તેમ પરિણમતો નથી એમ માને તો એકલું પુદ્ગલદ્રવ્ય મિથ્યાત્વરૂપ થયું. એ રીતે આત્માને એકાન્તે અપરિણામી માનતાં તેને બંધ અને સંસારનો અભાવ થાય. એમાં પણ પ્રત્યક્ષ વિરોધ છે.
૨૫૫
(૩) પૂર્વોક્ત દૂષણ ટાળવા તું એમ કહે કે જીવ અને પ્રકૃતિ બન્ને મળીને તે ભાવમિથ્યાત્વને કરે છે તો જીવની સમાન અચેતન પ્રકૃતિને પણ ભોક્તાપણાનો પ્રસંગ આવે. પરંતુ તેમ ઘટતું નથી.
(૪) અથવા પુદ્ગલને મિથ્યાત્વરૂપ ન તો પ્રકૃતિ કરે છે ન તો જીવ કરે છે. પુદ્ગલ પોતે જ ભાવ મિથ્યાત્વરૂપે પરિણમે છે એમ માનવું તે શું સાક્ષાત્ અસત્ય નથી ? અર્થાત્ તે પણ મિથ્યા અથવા અસત્ય છે.
શાર્દૂલવિક્રીડિત कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्द्वयो
रज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषंगात्कृतिः ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org