________________
૨ ૫૩
૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર - જેમકે વ્યવહારથી મારું ગામ, મારું નગર, મારું રાષ્ટ્ર, મારો દેશ એમ બોલાય છે તે વ્યવહારનો એકાત્ત આગ્રહ કરીને કોઈ મોહથી એમ કહે કે આ ગામ, નગર, રાષ્ટ્ર, દેશ મારાં–મારી માલિકીનાં છે ! તો લોકો તેને વ્યવહારમૂઢ, મિથ્થામાન્યતાવાળો, અજ્ઞાની જાણે છે; કારણ કે વાસ્તવિક તે ગામ, નગર, રાષ્ટ્ર કે દેશ તેનાં નથી. તેવી રીતે પોતાને જ્ઞાની કહેવડાવનાર પણ પરદ્રવ્યને “મારાં છે' એમ પોતાનાં નહિ છતાં પોતાનાં કરે તો તે પણ મિથ્યાવૃષ્ટિ થાય છે એમાં કંઈ શંકા નથી.
તેથી લોકો તથા એકાન્તવાદી મુનિઓ એ બન્નેનો ભિન્ન એવા પદ્રવ્યમાં જે કર્તાપણાનો નિશ્ચય છે તે તેઓના સમ્યગ્દર્શન રહિતપણાથી છે, એમ તત્ત્વને જાણનાર સુજ્ઞજનો નક્કી જાણે.
વસંતતિલકા एकस्य वस्तुन इहान्यतरेण सार्द्ध संबंध एव सकलोऽपि यतो निषिद्धः । तत्कर्तृकर्मघटनास्ति न वस्तुभेदे पश्यन्त्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वम् ॥२०१॥
એક વસ્તુનો બીજી વસ્તુ સાથેનો સંબંધ આ લોકમાં સર્વ પ્રકારે જેથી નિષેધ કરાયેલો છે તેથી વસ્તુભેદ હોવાથી તેમાં કર્તાકર્મની ઘટના બનતી નથી; માટે લોકો તેમજ મુનિઓ આત્મતત્ત્વને અકર્તાપણે જુએ એ ઇચ્છવાયોગ્ય છે. (કલશ ૨૦૧)
વસંતતિલકા ये तु स्वभावनियमं कलयंति नेममज्ञानमग्नमहसो बत ते वराकाः । कुर्वंति कर्म तत एव हि भावकर्म - कर्ता स्वयं भवति चेतन एव नान्यः ॥२०॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org