________________
૨૫૨
શ્રી સમયસાર
સંબંધ નથી. તે રીતે કર્તાકર્મસંબંધના અભાવમાં આત્માને કર્તાપણું ક્યાંથી હોય ? (કલશ ૨૦૦)
વ્યવહારના કથનને એકાન્તે નિશ્ચયરૂપ માનનાર મિથ્યાવૃષ્ટિ થાય છે તે દૃષ્ટાંતથી બતાવે છે :
ववहारभासिएण उ परदव्वं मम भांति अविदियत्था । जाणंति णिच्छयेण उ ण य मह परमाणुमिच्चमवि किंचि ॥ ३२४ ॥ जह कोवि णरो जंपड़ अह्यं गामविसयणयररटुं । णय हुंति तस्स ताणि उ भाइ य मोहेण सो अप्पा ॥ ३२५ ॥ एमेव मिच्छदिट्ठी णाणी णिस्संसयं हवइ एसो । जो परदव्वं मम इदि जाणंतो अप्पयं कुणइ ॥ ३२६ ॥ तह्माण मेत्ति णिच्चा दोण्ह वि एयाण कत्तविवसायं । परदव्वे जाणंतो जाणिजो दिट्ठिरहियाणं ॥ ३२७॥ ‘અન્ય દ્રવ્ય મારાં' કહે, વ્યવહારે મૂઢ અજ્ઞ; પરમાણુય મારું નહિ, જાણે નિશ્ચય-વિજ્ઞ, ૩૨૪ ગામ નગર રાષ્ટ્રાદિને, ‘મુજ' કહે જન જેમ; પણ તે તેનાં થાય ના, કહે મોહથી એમ. ૩૨૫ જ્ઞાની પણ પરદ્રવ્યને, જાણે ‘મારાં' એમ; મિથ્યાવૃષ્ટિ તે બને, સંશય તેમાં કેમ ? ૩૨૬ તેથી પરની કર્તૃતા, લહે લોકમુનિ અજ્ઞ; ગણે ઉભયને દૃષ્ટિહીન, પરથી વિરક્ત વિજ્ઞ. ૩૨૭
તત્ત્વજ્ઞ એવા જ્ઞાની વ્યવહારથી પરદ્રવ્યને મારું છે એમ કદાચ કહે પરંતુ નિશ્ચયથી તો કંઈ પણ પરદ્રવ્ય પ૨માણુ માત્ર પણ વસ્તુતઃ મારું નથી એમ જાણે છે. તેથી ઊલટું અજ્ઞાની પરદ્રવ્ય મારું છે એમ કહે છે અને એ રીતે જ વાસ્તવિક માને પણ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org