SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૧ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર કહે લોક વિષ્ણુ કરે, સુર નર નારક જેમ; આત્મા કરે છકાયને, શ્રમણ ગણે જો એમ, ૩૨૧ લોક શ્રમણ મત એક તો, ભેદ ન ભાસે ત્યાંય; વિષ્ણુ કર્તા જન ગણે, શ્રમણ ગણે જીવ જ્યાંય; ૩૨૨ લોક શ્રમણ એ ઉભયનો, મોક્ષ ન એમ ભળાય; સુરનર નારક લોકત્રય, કરતાં એમ સદાય. ૩૨૩ . વીતરાગ ધર્મ સ્યાદ્વાદથી યુક્ત તથા મોક્ષને આપનાર લોકોત્તર-અલૌકિક છે અને અન્ય મતો માત્ર સાંસારિક ફળ આપનાર હોવાથી લૌકિક છે. લોકના મત પ્રમાણે સુર નારક તિર્યંચ મનુષ્યથી યુક્ત આ સૃષ્ટિને વિષ્ણુ અથવા ઈશ્વરે ઉત્પન્ન કરી છે એમ માનવામાં આવે છે, તેવી જ રીતે શ્રમણ-લોકોત્તર વીતરાગ મતમાં પણ જો એમ માનવામાં આવે કે છકાય જીવ અથવા દેહ, કર્મ વગેરેને આત્મા ઉત્પન્ન કરે છે, તો લોકના મિથ્યામતમાં અને શ્રમણોના મતમાં ખાસ વિશેષતા ન રહે. કારણ કે લોકના મત પ્રમાણે વિષ્ણુ કર્તા છે, તેવી રીતે શ્રમણના મત પ્રમાણે આત્મા કર્તા થાય. એ બન્ને સિદ્ધાંત સરખા ભૂલવાળા છે, તેથી વિષ્ણુને કર્તા માનનાર લોકોની જેમ, આત્માને એ કાન્ત દેહાદિનો કર્તા માનવાથી તેને નિત્યદ્ભૂત્વપણાને પ્રસંગ આવે. એમ હંમેશાં કર્તા માનવાથી લોકોત્તર મતવાળા મુનિઓ પણ મોક્ષ પામે નહિ. અનુષુપ नास्ति सर्वोऽपि संबंधः परद्रव्यात्मतत्त्वयोः । कर्तृकर्मत्वसंबंधाभावे तत्कर्तृता कुतः ॥२०० ॥ પરદ્રવ્ય સાથે આત્માનો સર્વ સંબંધમાંથી કોઈ પણ પ્રકારનો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy