________________
૨૪૮
કર્મનો ભોક્તા) જ છે.
પરંતુ જ્ઞાની અવેદક છે એવો નિયમ છે ઃ
णिव्वेयसमावण्णो णाणी कम्मफलं वियाणेइ । महुरं कडुयं बहुविहमवेयओ तेण सो होई ॥३१८ ॥ જ્ઞાની જાણે કર્મફલ, મધુર કટુક બહુવિધ; અંતરમાં નિર્વેદમય, તેથી અવેદક કીધ. ૩૧૮
શ્રી સમયસાર
જ્ઞાની તો અભેદ એવા ભાવશ્રુતજ્ઞાન લક્ષણવાળા શુદ્ધાત્મજ્ઞાન સહિત હોવાથી ૫૨થી પોતાને અત્યંત ભિન્ન જાણતા પ્રકૃતિસ્વભાવને સ્વયમેવ તજે છે. ત્યારબાદ જ્ઞાતાપણું એ આત્માનો ગુણ હોવાથી ઉદય આવતા મધુર, કટુક કર્મફળને માત્ર જાણે છે; પરંતુ આત્મજ્ઞાન થતાં પરદ્રવ્યને અહંપણે અનુભવવાને અયોગ્ય હોવાથી વેદતા નથી. એમ જ્ઞાની પ્રકૃતિસ્વભાવથી વિરક્ત હોવાથી અવેદક જ છે.
તાત્પર્ય કે તત્ત્વજ્ઞાની તો સંસાર શરીર અને ભોગથી વિરક્ત થયેલા, ઉદયાગત કર્મને આત્માથી ભિન્ન જાણે છે. તેઓ શુભાશુભ કર્મના ફળને અનેક પ્રકારના મધુરા અને કડવા રસ આપનાર પરદ્રવ્યરૂપ જાણે છે ને તે સર્વથી વિરક્ત રહે છે. એમ જ્ઞાની અંતરમાં નિર્વેદમય એટલે વૈરાગ્ય સહિત હોવાથી અભોક્તા જ કહેવાય છે.
વસંતતિલકા
ज्ञानी करोति न न वेदयते च कर्म
जानाति केवलमयं किल तत्स्वभावम् । करणवेदनयोरभावा
जानन्परं
च्छुद्धस्वभावनियतः स हि मुक्त एव ॥ १९८ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org