________________
૮. મોક્ષ અધિકાર
૨૩૮
કષાયની અધિકતાથી થતું ભારેપણું-આળસુપણું છે તે જ પ્રમાદ છે. એવા પ્રમાદવાળા આળસુ જીવને શુદ્ધભાવ ક્યાંથી થાય ? આ કારણે પોતાના રસથી ભરપૂર સ્વભાવમાં નિશ્ચળ થયેલા મુનિ પરમ શુદ્ધતાને પામે છે, તેમ જ તેઓ શીધ્ર મુક્ત થાય
' (કલશ ૧૯૦) હવે મોક્ષનો ક્રમ દર્શાવતું કાવ્ય કહે છે -
શાર્દૂલવિક્રીડિત त्यक्त्वाऽशुद्धिविधायि तत्किल परद्रव्यं समग्रं स्वयं स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः । बंधध्वंसमुपेत्य नित्यमुदितः स्वज्योतिरच्छोच्छलच्चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते ॥१९१॥
અશુદ્ધતાના કરનાર સંપૂર્ણ પારદ્રવ્યને ખરેખર ત્યાગીને જે પોતે પોતાના દ્રવ્યમાં રતિ કરે છે, તે સર્વ અપરાધથી રહિત એટલે આરાધક થયેલા મુનિ, બંધનો નાશ કરીને નિત્ય પ્રગટ એવી જે પોતાની ચૈતન્યજ્યોતિ તેમાં નિર્મળપણે ઊછળતા ચૈતન્યરૂપી અમૃતના પૂરથી પૂર્ણ મહિમાવાળા શુદ્ધ આત્મા થતા, કર્મબંધથી મુકાય છે. મોક્ષ પામે છે.
(કલશ ૧૯૧) હવે અંતમંગલરૂપે પૂર્ણજ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છે :
મંદાક્રાંતા बंधच्छेदात्कलयदतुलं मोक्षमक्षय्यमेत - नित्योद्योतस्फुटितसहजावस्थमेकांतशुद्धम् ।। एकाकारस्वरसभरतोऽत्यंतगंभीरधीरं पूर्ण ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि ॥१९२॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org