________________
૮. મોક્ષ અધિકાર
૨૩૩
एवह्मि सावराहो बज्झामि अहं तु संकिदो चेया । . जइ पुण णिरवराहो णिस्संकोहं ण बज्झामि ॥३०३॥ ચૌર્યાદિ અપરાધ યુત, જે જન જગમાં હોય; જનપદમાં શંકિત ફરે, રખે ન બાંધે કોય. ૩૦૧ જે જન કદી કરે નહીં, ચૌર્યાદિ અપરાધ; ફરે બંધચિંતા રહિત, નિઃશંક નિરપરાધ. ૩૦૨ અપરાધી સાશંક છે, હું બંધાઈશ એમ; નિરપરાધી નિઃશંક કે, હું બંધાઉં જ કેમ ? ૩૦૩
આ લોકમાં પરદ્રવ્ય આદિ હરણ કરનાર અપરાધી ચોરને હું બંધાઈશ એવી શંકા રહે છે અને કોટવાલ આદિ પકડે ત્યારે છૂટવા માટે તે દંડ ભરે છે. પરંતુ પારદ્રવ્યાદિ હરણ ન કરનાર નિર્દોષને તેવી શંકા થતી નથી અને દંડ પણ ભરવો પડતો નથી. તેવી રીતે જે શુદ્ધસ્વરૂપથી ભિન્ન એવા રાગાદિભાવોને ગ્રહણ કરે છે- પરભાવમાં પરિણમે છે. તે અપરાધી થાય છે. તેને હું આઠ કર્મોવડે બંધાઈશ એવી શંકા રહે છે, ત્યારે કર્મબંધથી ન બંધાવા તે પ્રાયશ્ચિત્ત, પ્રતિક્રમણ આદિ કરવારૂપ દંડ આપે છે. પરંતુ જે શુદ્ધ ચૈતન્ય લક્ષણવાળા સ્વસ્થભાવમાં પરિણમે છે, તે મિથ્યાત્વરાગાદિ રહિત નિરપરાધ હોવાથી, તેને કોઈ કર્મવડે બંધાવાની શંકા થતી નથી, તેથી પ્રાયશ્ચિત્ત, પ્રતિક્રમણ આદિ વિના પણ અનંત જ્ઞાનાદિરૂપ નિર્દોષ પરમાત્મભાવનાથી જ શુદ્ધ થાય છે, એમ નિયમ છે. આથી સર્વથા સર્વ પરભાવના ત્યાગવડે શુદ્ધ આત્મા ગ્રહણ કરવો જોઈએ. તેમ કરવાથી જ જીવ નિરપરાધી થાય છે.
આ અપરાધ તે શું છે ? તે નિરપરાધ શબ્દની વ્યુત્પત્તિ દ્વારા સમજાવે છે :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org