________________
૨૨૬
* શ્રી સમયસાર
ભાયમાન થાય છે તે પણ ખરી રીતે ભિન્ન એવા આત્માના જ અસ્તિત્વને જાહેર કરે છે. તે ભેદજ્ઞાન યથાર્થ રીતે ક્યારે થાય કે જ્યારે આત્મા સાવધાનપણે પોતાના શુદ્ધસ્વરૂપમાં સ્થિર થાય અને પ્રજ્ઞા અથવા ભેદજ્ઞાનવડે ઉદય આવતા રાગાદિને શુદ્ધ ચૈતન્ય આત્માથી ભિન્ન એવા કર્મબંધનાં લક્ષણ જાણે.
| સ્ત્રગ્ધરા प्रज्ञाछेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधानैः सूक्ष्मेऽन्तःसंधिबंधे निपतति रभसादात्मकर्मोभयस्य । आत्मानं मग्नमंतः स्थिरविशदलसद्धानि चैतन्यपूरे बंधं चाज्ञानभावे नियमितमभितः कुर्वती भिन्नभिन्नौ ॥१८१ ॥
આ તીક્ષ્ણ પ્રજ્ઞારૂપ છીણી સાવધાન થયેલા કુશળ જ્ઞાનીઓ વડે કોઈ એવી રીતે પટકાય છે કે તે આત્મા અને કર્મનો બંધ થવામાં જે સ્વભાવ અને વિભાવના સૂક્ષ્મ લક્ષણભેદરૂપ અંતરંગ સંધિ છે ત્યાં એકાએક પડે છે. શું કરતી પડે છે ? આત્માને અંતરના સ્થિર અને નિર્મળપણે દેદીપ્યમાન પ્રકાશવાળા ચૈતન્ય પ્રવાહમાં મગ્ન કરતી અને બંધને અજ્ઞાનભાવમાં નિયમિત કરતી, એમ ચારે તરફથી આત્માને અને બંધને ભિન્ન ભિન્ન કરતી પડે
(કલશ ૧૮૧) આત્મા ને બંધને જુદા પાડીને પછી શું કરવું? તેમાં પ્રયોજન અથવા સાધ્ય શું છે ? તે કહે છે :जीवो बंधो य तहा छिज्जति सलक्खणेहिं णियएहिं । बंधो छएयव्वो सुद्धो अप्पा य घित्तव्वो ॥२९५॥ નિશ્ચિત નિજ નિજ લક્ષણે, જીવ-બંધનો ભેદ; છેદો બંધ અને લહો, આત્મા શુદ્ધ અભેદ. ૨૯૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org