________________
૨ ૨૪
પસાર
જાણી બંધ સ્વભાવ પર, ને નિજ શુદ્ધસ્વભાવ; વિરક્ત બંધ વિષે રહે, તેને કર્મ-અભાવ. ૨૯૩
જે પોતાનું સ્વરૂપ નિર્વિકાર અનંતજ્ઞાનાદિરૂપ છે એમ જાણે અને તેને વિકાર કરનાર બંધનું સ્વરૂપ મિથ્યાત્વ-રાગાદિરૂપ છે એમ જાણે, એમ બન્નેના ભિન્ન ભિન્ન સ્વભાવને જાણીને બંધથી વિરક્ત થાય એટલે બંધ અને બંધના કારણને ક્લેશરૂપ જાણી તેથી વિરમે, તે જીવ સર્વ કર્મથી મુક્ત થાય છે. એ પ્રકારે આત્મા અને બંધને જાદા કરવા તે મોક્ષનો હેતુ છે.
આત્મા ને બંધ શા વડે જુદા કરાય છે? તે કહે છે - जीवो बंधो य तहा छिज्जति सलक्खणेहिं णियएहिं । पण्णाछेदणएण उ छिण्णा णाणत्तमावण्णा ॥२९४॥ . નિશ્ચિત નિજ નિજ લક્ષણે, જીવ બંધ ભેદાય; પ્રજ્ઞા છીણીથી છેદતાં, ઉભય અલગ થઈ જાય. ૨૯૪
આત્માને અને બંધને જુદા કરવાના કાર્યમાં કરણ એટલે સાધન શું છે ? તેનો વિચાર કરતાં જણાય છે કે નિશ્ચયથી આત્માથી ભિન્ન અન્ય કરણનો અભાવ છે; તેથી આત્માથી અભિન્ન એવી વિવેકશક્તિ અથવા દિવ્ય પ્રજ્ઞા એ જ સાધન છે. તેનાવડે આત્મા અને બંધ પોતપોતાનાં નિશ્ચિત લક્ષણથી અવશ્ય ભિન્ન કરાય છે.
આત્મા ને બંધ ચેતકચેત્યપણે અત્યંત નિકટ હોવાથી ભેદવિજ્ઞાનના અભાવમાં એકપણે વ્યવહાર કરાય છે તે પ્રજ્ઞાવડે ભિન્ન કેવી રીતે થઈ શકે ? તેના ઉત્તરમાં કહે છે કે જેમ બે પદાર્થ જોડેલા એકરૂપ લાગતા હોય, પરંતુ નિશ્ચિત ભિન્ન ભિન્ન લક્ષણકારા તે બે વચ્ચેનો સૂક્ષ્મ સાંધો શોધીને ત્યાં સાવધાનપણે છીણી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org