________________
૮. મોક્ષ અધિકાર
जह बंधे चिंतंतो बंधणबद्धो ण पावड़ विमोक्खं । तह बंधे चिंतंतो जीवो वि ण पावइ विमोक्खं ॥ २९९ ॥ કેવલ બંધ વિચારથી, બદ્ધ ન પામે મોક્ષ; કર્મ વિચારે જીવ પણ, પામે નહીં વિમોક્ષ. ૨૯૧
૨૨૩
જેમ બંધનમાં પડેલો પુરુષ પોતે જેનાથી બંધાયો છે, તેના પ્રકાર વગેરે જાણવાથી કે છૂટવાના ઉપાય માત્ર વિચારવાથી છૂટી શકતો નથી; તેમ જીવ પોતે જે કર્મવડે બંધાયો છે, તેના પ્રકાર વગેરે જાણવાથી કે છૂટવાના ઉપાય માત્ર વિચારવાથી છૂટી શકે નહિ.
ત્યારે મોક્ષનો હેતુ શો છે ? તે કહે છે :
जह बंधे छित्तूण य बंधणबद्धो उ पावड़ विमोक्खं । तह बंधे छित्तूण य जीवो संपावइ विमोक्खं ॥ २९२ ॥ બંધન છેલ્લે બદ્ધ જન, પામે જેમ વિમોક્ષ; કર્મબંધ ઉચ્છેદીને, તેમ લહે જીવ મોક્ષ. ૨૯૨
જેમ બપુરુષ બેડી વગે૨ે છેદીને મુક્ત થાય છે, તેમ જીવ કર્મબંધન છેદીને મોક્ષ પામે છે. અહીં આત્મા અને કર્મને ભિન્ન ભિન્ન કરવાં એ જ મોક્ષનો હેતુ છે, એમ બતાવ્યું. તેમાં પ્રથમ બંધને જાણે, તેનું સ્વરૂપ તથા છેદવાના ઉપાય વિચારે, પછી છેદી શકે, તેથી યથાર્થ જ્ઞાન અને વિચારપૂર્વક જ બંધને છેદવાનું કાર્ય કરી શકાય છે તે યથાર્થ સમજવા ફરી પૂછે છે :
શું બંધછેદ એ જ માત્ર મોક્ષહેતુ છે ? તેના ઉત્તરમાં કહે
बंधाणं च सहावं वियाणिओ अप्पणो सहावं च । बंधेसु जो विरज्जदि सो कम्मविमोक्खणं कुणइ ॥२९३॥
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International