SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૭, બંધ અધિકાર ૨૧૯ પ્રત્યાખ્યાન કરવાનાં કહ્યાં છે. નિર્વિકલ્પ દશામાં તો નિશ્ચયથી સર્વ પરદ્રવ્ય અને પરભાવનું પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન છે જ, તેથી ત્યાં બંધનો પણ અભાવ છે. શાર્દૂલવિક્રીડિત इत्यालोच्य विवेच्य तत्किल परद्रव्यं समग्रं बलात् तन्मूलं बहु भावसंततिमिमामुद्धर्तुकामः समम् । आत्मानं समुपैति निर्भरवहत्पूर्णेकसंविद्युतं येनोन्मूलितबंध एष भगवानात्मात्मनि स्फूर्जति ॥ १७८ ॥ આ પ્રમાણે વિચાર કરીને તથા સમગ્ર પરદ્રવ્યને બળપૂર્વક ત્યાગીને ૫૨દ્રવ્ય જેનું મૂળ છે એવા ઘણા ભાવોની પરંપરાને એકસાથે ઉડાવી દેવાની ઇચ્છાવાળા જ્ઞાની, અત્યંત ધારાવાહીપણે પોતામાં પરિણમતા એવા પૂર્ણ એક ચૈતન્યથી યુક્ત આત્માને મેળવે છે, કે જેથી બંધને મૂળમાંથી ઉખેડીને મુક્ત થયેલા ભગવાન પરમાત્મા આત્મામાં સ્ફુરાયમાન થાય છે. (કલશ ૧૭૮) મંદાક્રાંતા रागादीनामुदयमदयं दारयत्कारणानां कार्यं बंधं विविधमधुना सद्य एव प्रणुद्य । ज्ञानज्योति : क्षपिततिमिरं साधु सन्नद्धमेतत् तद्वद्यद्वत्प्रसरमपरः कोऽपि नास्यावृणोति ॥ १७९ ॥ કારણરૂપ રાગાદિના ઉદયને નિર્દયપણે વિદારવાથી કાર્યરૂપ અનેક પ્રકારના બંધનો શીઘ્ર નાશ કરીને જેણે અજ્ઞાનતિમિરનો ક્ષય કર્યો છે અને પોતાના શુદ્ધ ગુણોથી સારી રીતે સજ્જ થઈ છે, એવી આ જ્ઞાનજ્યોતિ એ રીતે ફેલાઈ છે કે જે રીતે તેને હવે અન્ય કોઈ આવરણ કરી શકતું નથી. (કલશ ૧૭૯) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy