________________
૨૧૮
શ્રી સમયસાર, દર્શાવ્યું તેને સ્થૂલ દ્રષ્ટાંતથી સમજાવે છે :
आधाकम्माईया पुग्गलदव्वस्स जे इमे दोसः । कह ते कुव्वइ णाणी परदव्वगुणा उ जे णिच्चं ॥२८६॥ आधाकम्मं उद्देसियं य पुग्गलमयं इमं दव्वं । कह तं मम होइ कयं जं णिच्चमचेयणं उत्तं ॥२८७॥ અધઃકર્મ ઇત્યાદિ આ, જે પુદ્ગલના દોષ; કેમ નિત્ય પરદ્રવ્યગુણ, કરે જ્ઞાની નિર્દોષ ? ૨૮૬ અધકર્મ ઉદ્દિષ્ટ છે, તે પુગલ આકાર; સદા અચેતન, તો બને “મુજકૃત” કયે પ્રકાર ? ૨૮૭)
પાપકર્મથી તૈયાર કરેલ આહારમાં મુનિને અધકર્મ દોષ લાગે છે અને મુનિને માટે ખાસ તૈયાર કરેલા આહારમાં ઉદ્દેશિક દોષ લાગે છે. કારણ કે એવો આહાર સેવન કરનારના ભાવ અશુદ્ધ થાય છે અને તેથી પાપકર્મ બંધાય છે. ત્યાં અશુદ્ધ આહાર તૈયાર થવામાં મુનિ કારણ નથી, પરંતુ તેણે દ્રવ્યથી અને ભાવથી તેવા આહારનો ત્યાગ ન કર્યો એ જ બંધનું કારણ છે. તે જ આહાર કોઈ નિર્વિકલ્પ સમાધિમાં વર્તતા મુનિ ગ્રહણ કરે તો તેમને દોષ લાગતો નથી. કારણ કે તેઓ મનવચનકાયા કૃતકારિતઅનુમોદનારૂપ નવ પ્રકારે આહારની અશુદ્ધિરૂપ વિકલ્પથી સર્વથા પર છે. તેથી આહારાદિ વિષયમાં પરકૃતિ દોષથી તેમને બંધ નથી. જો અન્યના કાર્યથી દોષ લાગતો હોય તો જીવ કોઈ કાળે મુક્ત થાય નહિ. તેથી આત્મસ્વરૂપમાં વર્તતા જ્ઞાનીને આહારકૃત દોષ લાગતો નથી.
સારાંશ - દ્રવ્ય છે તે ભાવનું નિમિત્ત છે અને ભાવથી નવાં કર્મ બંધાય છે, તે પાછાં ભવિષ્યમાં દ્રવ્યપણે ઉદય થાય છે. માટે સવિકલ્પ દશામાં દ્રવ્ય અને ભાવ એ બન્ને પ્રકારે પ્રતિક્રમણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org