________________
૭. બંધ અધિકાર
૨૧૭
સંરંભ સમારંભ આરંભ વગેરેના વિકલ્પો કે ઇચ્છારૂપે અધ્યવસાનની પરંપરારૂપ દ્રવ્ય અપ્રત્યાખ્યાન છે અને એ નિમિત્તે જે રાગદ્વેષ થાય તે ભાવ-અપ્રતિક્રમણ, અપ્રત્યાખ્યાન છે. અથવા ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા અને ઉદય આવવાના કષાયોને શમાવવાનો અભ્યાસ ન કરવો એ રૂપ ભાવ અપ્રતિક્રમણ અને ભાવ અપ્રત્યાખ્યાન છે. એમ દ્રવ્ય અને ભાવથી જે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન છે, તે વર્તમાનમાં અધ્યવસાન અને રાગદ્વેષરૂપે જીવને કર્મબંધના કારણ થાય છે. તેથી અજ્ઞાની જીવના અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન જ કર્મબંધના કર્તા છે.
દ્રવ્ય છે તે ભાવનું કારણ છે. દ્રવ્યથી ભૂતભાવિના અધ્યવસાનોનો ત્યાગ કરવારૂપ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન ન કરે, ત્યાં સુધી રાગદ્વેષના ત્યાગરૂપ ભાવ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન થતાં નથી. જ્યારે જીવ નિમિત્તભૂત દ્રવ્યનું પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરે છે, ત્યારે ભાવ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન પણ થાય છે અને તેમ થતાં જ્યારે કર્મ બંધાતાં અટકે છે, ત્યારે આત્મા જ્ઞાની થઈને સાક્ષાત્ અકર્તા થાય છે. અર્થાત્ ભૂતભાવી સંબંધી મિથ્યા વિકલ્પો તથા તે સંબંધી રાગદ્વેષથી મુક્ત થઈને અને વર્તમાનમાં ઉદય થતા કર્મ-નોકર્મથી પણ પોતાને ભિન્ન જાણીને નિર્વિકલ્પપણે સમભાવપૂર્વક ઉદયાનુસાર વર્તતા જ્ઞાનીને કર્મબંધ નથી.
પરંતુ જ્યાં સુધી જીવ દ્રવ્ય અપ્રતિક્રમણ અને દ્રવ્ય અપ્રત્યાખ્યાન તજતો નથી ત્યાં સુધી તેને ભાવ અપ્રતિક્રમણ અને ભાવ અપ્રત્યાખ્યાનરૂપ રાગદ્વેષકષાયાદિનો અભાવ થતો નથી. તેથી વર્તમાનમાં વિકાર સહિત રાગાદિ કરતો પોતાને ભૂલીને કર્મનોકર્મમાં તન્મય થતો નિરંતર બંધાયા કરે છે.
દ્રવ્ય અને ભાવને નિમિત્તનૈમિત્તિક સંબંધ છે એમ ઉપર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org