________________
૨૧૬
- શ્રી સમયસાર
નિમિત્તરૂપ છે.
તો પછી આત્માને રાગાદિનો અકર્તા કહ્યો છે, તે કેવી રીતે ? તે કહે છે - अपडिक्कमणं दुविहं. अपच्चक्खाणं तहेव विण्णेयं । एएणुवएसेण य अकारओ वण्णिओ चेया ॥२८३॥ अपडिक्कमणं दुविहं दव्वे भावे तहा अपच्चक्खाणं । एएणुवएसेण यं अकारओ वण्णिओ चेया ॥२८४॥ जावं अपडिक्कमणं अपच्चक्खाणं च दव्वभावाणं । कुव्वइ आदा तावं कत्ता सो होइ णायव्वो ॥२८५॥ દ્વિવિધ છે અપ્રતિક્રમણ, અને અપ્રત્યાખ્યાન; એ ઉપદેશે જીવને, કહ્યો અકારક માન. ૨૮૩ દ્રવ્ય ભાવ અપ્રતિક્રમણ, અને અપ્રત્યાખ્યાન; એ ઉપદેશે જીવને, કહ્યો અકારક માન. ૨૮૪ દ્રવ્યભાવ અપ્રતિક્રમણ, અને અપ્રત્યાખ્યાન; જીવ કરે છે ત્યાં સુધી, કારક તેને માન. ૨૮૫
અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન સંબંધી દ્રવ્યથી અને ભાવથી એમ બે ભેદે જે ઉપદેશ છે, તે એમ સૂચવે છે કે દ્રવ્યને નિમિત્તે ભાવ થાય છે. દ્રવ્યના નિમિત્ત વિના આત્મા રાગાદિનો કર્તા કહીએ તો તેને નિત્ય કર્તાપણાનો પ્રસંગ આવે અને તેમ થતાં મોક્ષપ્રાપ્તિ સંભવે નહિ.
પૂર્વે અનુભવેલા પાંચ ઇન્દ્રિયોના વિષયો અને તે સંબંધી સંરંભ સમારંભ આરંભ વગેરે કર્યા હોય તેના સ્મરણરૂપે અધ્યવસાનની પરંપરારૂપ દ્રવ્ય અપ્રતિક્રમણ છે. તે જ પ્રમાણે ભવિષ્યમાં અનુભવવાના વિષયો અને તે સંબંધી કરવા ધારેલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org