________________
૭. બંધ અધિકાર
અનુષ્ટુપ
इति वस्तुस्वभावं स्वं नाज्ञानी वेत्ति तेन सः । रागादीनात्मनः कुर्यादतो भवति कारकः ॥१७७॥
એવો વસ્તુસ્વભાવ પોતાનો છે એમ અજ્ઞાની જાણતો નથી, છે તેથી તે રાગાદિને પોતાના કરે છે, અર્થાત્ રાગાદિરૂપ પરિણમે છે અને તેથી કર્તા થાય છે. (કલશ ૧૭૭)
૨૧૫
તે કહે છે :
.
राय िय दोस िय कसायकम्मेसु चेवं जे भावा । तेहिं दु परिणमंतो रायाई बंधदि पुणो वि ॥२८१ ॥ રાગદ્વેષ કર્મોદયે, જે જે ભાવો થાય; તેવા ફરી બંધાય. ૨૮૧
તેમાં તન્મયતા થતાં,
રાગાદિ આત્માના નથી એ ઉપર કહેલા વસ્તુસ્વભાવને ન જાણતો અજ્ઞાની, અનાદિકાળથી શુદ્ધસ્વભાવથી ભ્રષ્ટ થયેલો, કર્મના ઉદયથી થતા રાગદ્વેષમોહાદિ ભાવે પરિણમે છે. તેથી તે રાગદ્વેષમોહનો કર્તા થઈને બંધાય છે, એવો પ્રતિનિયમ છે.
તેથી સિદ્ધ થાય છે કે ઃ
:
राय िय दोस िय कसायकम्मेसु चेव जे भावा । तेहिं दु परिणमंतो रायाई बंधदे चेदा ॥ २८२ ॥ રાગદ્વેષકર્મોદયે, જે જે ભાવો થાય; તેમાં જીવ તન્મય થતાં, રાગાદિક બંધાય. ૨૮૨
અજ્ઞાનીને પુદ્ગલકર્મના ઉદયમાં તન્મયતા થવાથી જે રાગદ્વેષમોહાદિ ભાવ થાય છે, તે જ પુદ્ગલકર્મબંધના હેતુ છે, કે જે પુદ્ગલકર્મબંધ ફરી ભવિષ્યમાં જીવને રાગદ્વેષમોહાદિ થવાના
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International