________________
૨૧૪
ઉપજાતિ
न जातु रागादिनिमित्तभावमात्मात्मनो याति यथार्ककांतः । तस्मिन्निमित्तं परसंग एव वस्तुस्वभावोऽयमुदेति तावत् ॥१७५॥
શ્રી સમયસાર
આત્મા પોતાના રાગાદિના નિમિત્તપણાને ક્યારેય પામતો નથી. જેમ કે સૂર્યકાન્તમણિને સૂર્ય સામે ધરે તો જ તેમાંથી અગ્નિ ઝરે છે, તેમ આત્માને રાગાદિ થવામાં પર એવાં ઉદયકર્મનો સંગ એ જ નિમિત્ત છે. એવો વસ્તુસ્વભાવ ઉદય થાય છે.
(કલશ ૧૭૫)
અનુષ્ટુપ इति वस्तुस्वभावं स्वं ज्ञानी जानाति तेन सः रागादीन्नात्मनः कुर्यान्नातो भवति कारकः
।
||૧૭૬ ॥
એવો વસ્તુસ્વભાવ પોતાનો છે, એમ શાની જાણે છે, તેથી તેઓ રાગાદિને પોતાના કરતા નથી, અર્થાત્ તેરૂપ પરિણમતા નથી અને તેથી કર્તા થતા નથી. (કલશ ૧૭૬)
તે કહે છે :
णय रायदोसमोहं कुव्वदि णाणी कसायभावं वा । सयमप्पणो ण सो तेण कारगो तेसिं भावाणं ॥ २८० ॥ કરે ન રાગાદિ સ્વયં, મોહ વિભાવ કાય; તેથી નહિ તે ભાવના, કારક જ્ઞાની થાય. ૨૮૦
રાગાદિ આત્માના નથી એમ વસ્તુસ્વભાવને જાણતા જ્ઞાની શુદ્ધભાવથી પડતા નથી તેથી રાગદ્વેષ મોહ આદિ ભાવે--પોતાની મેળે કે પરના નિમિત્તે--પરિણમતા નથી. એ રીતે ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવવાળા જ્ઞાની રાગદ્વેષમોહાદિ ભાવોના અકર્તા છે એવો નિયમ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org