________________
૨૧૩
૭. બંધ અધિકાર આત્માથી ભિન્ન છે એમ આપે કહ્યું તો તે રાગાદિ થવાનું નિમિત્તકારણ આત્મા છે કે બીજાં કંઈ છે ? એવા શિષ્યના પ્રશ્નથી પ્રેરણા કરાયેલા આચાર્ય ફરીથી કહે છે. (કલશ ૧૭૪)
અર્થાત્ શરૂઆતમાં કહ્યું કે બંધનું કારણ રાગાદિ છે તો રાગાદિનું કારણ શું છે? તે કહે છે -
जह फलिहमणी सुद्धो ण सयं परिणमइ रायमाईहिं ।। रंगिजदि अण्णेहिं दु सो रत्तादीहिं दव्वेहिं ॥२७८॥ एवं णाणी सुद्धो ण सयं परिणमइ रायमाईहिं । राइजदि अण्णेहिं दु सो रागादीहिं दोसेहिं ॥२७९।। જેમ સ્ફટિકમણિ શુદ્ધ તે, સ્વયં ન રંગ-સ્વરૂપ; પણ રંગીન પરદ્રવ્યથી, જણાય રંગીન રૂ૫. ર૭૮ જ્ઞાની તેમ વિશુદ્ધ જો, સ્વયં નિરંજન રૂપ; પણ રાગાદિ દોષથી, વિભાવરંજિત રૂ૫. ૨૭૯
જેમ સ્ફટિકમણિ પોતે વિશુદ્ધ છે પરંતું પરિણમન સ્વભાવવાળો છે, તે બાહ્ય ઉપાધિ ન હોય તો પોતાની મેળે રંગીન થતો નથી. જો રંગીન વસ્તુ સાથે હોય તો જ તે રંગવાળો દેખાય છે. તેમ આત્મા પોતે વિશુદ્ધ છે પરંતુ પરિણમન સ્વભાવવાળો છે, તે કર્મના ઉદયરૂપ બાહ્ય ઉપાધિ ન હોય તો પોતાની મેળે રાગાદિભાવે પરિણમતો નથી. પૂર્વે બાંધેલાં રાગાદિ દ્રવ્યકર્મ ઉદય આવે છે, તેમાં તદાકાર થવાથી આત્મા પોતાના શુદ્ધ સ્વભાવથી ચૂકીને વિપરીત એવા રાગાદિભાવે પરિણમે છે. તેથી જેમ સ્ફટિકમાં રંગનું કારણ બાહ્ય પદાર્થ છે, તેમ આત્મામાં રાગાદિ થવાનું કારણ આત્માથી ભિન્ન એવાં ઉદય આવતાં દ્રવ્યકર્મ છે. કર્મઉદય-રાગ-બંધ એમ સાંકળ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org