SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રી સમયસાર - વ્યવહારથી જીવાદિ નવ તત્ત્વની શ્રદ્ધા તે દર્શન છે, આચારાંગ આદિ શાસ્ત્રોનું પઠન તે જ્ઞાન છે અને છકાય જીવની રક્ષા કરવી તે ચારિત્ર છે. એમ વ્યવહારમોક્ષમાર્ગ પરાશ્રિત અને ભેદવાળો છે. નિશ્ચયથી શુદ્ધાત્માને શ્રદ્ધાનું આશ્રયપણું હોવાથી શુદ્ધાત્મા દર્શન છે, જ્ઞાનનું આશ્રયપણું હોવાથી શુદ્ધાત્મા જ્ઞાન છે, ચારિત્રનું આશ્રયપણું હોવાથી શુદ્ધાત્મા ચારિત્ર છે; વળી શુદ્ધાત્મપરિણતિથી થતા રાગાદિના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન છે અને શુદ્ધાત્મામાં પરિણમવાથી કર્મ ન બંધાવારૂપ સંવર પણ થાય છે, તેથી શુદ્ધાત્મા જ પ્રત્યાખ્યાન અને સંવર પણ છે. એમ નિશ્ચયમોક્ષમાર્ગ સ્વાશ્રિત છે; અને એક અભેદરૂપ હોવાથી તેમાં વર્તનારને વ્યવહારમોક્ષમાર્ગનો નિષેધ કરાય છે. એકલા વ્યવહારથી મોક્ષની પ્રાપ્તિ નથી, પરંતુ નિશ્ચયમોક્ષમાર્ગમાં વર્તનારને સાથે વ્યવહાર હો કે ન હો તો પણ મોક્ષની પ્રાપ્તિ છે. વ્યવહારથી નિશ્ચય સાધ્ય છે, એ રીતે વ્યવહાર કાર્યકારી છે. વ્યવહાર-મોક્ષમાર્ગમાં વર્તતો ભવ્ય જીવ સાત પ્રકૃતિઓનો ઉપશમ, યોપશમ કે ક્ષય કરવાનો લક્ષ રાખે અને પરિણામે સમકિત પામીને નિર્વિકલ્પ સમાધિમાં સ્થિર થાય, ત્યારપછી સર્વ વ્યવહાર ત્યાજ્ય છે. અથવા તો ત્રિગુપ્તિ અવસ્થામાં વ્યવહાર આપોઆપ છૂટી જાય છે. તેથી નિશ્ચય મોક્ષમાર્ગમાં સર્વ વ્યવહાર નિષેધ્યો છે, એમ તાત્પર્ય છે - ઉપજાતિ रागादयो बंधनिदानमुक्तास्ते शुद्धचिन्मात्रमहोऽतिरिक्ताः । आत्मा परो वा किमु तनिमित्तमिति प्रणुनाः पुनरेवमाहुः ॥१७४ ॥ રાગાદિ બંધનાં કારણ કહ્યાં અને તે રાગાદિ શુદ્ધચેતન્યમાત્ર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy