________________
૭. બંધ અધિકાર
૨૧૧ શુદ્ધાત્મા જ ઉપાદેય છે એવી શ્રદ્ધા તેને થતી નથી; તેથી વાસ્તવિક મોક્ષની શ્રદ્ધા પણ તેને નથી.
એવો અભવ્ય જીવ માનપૂજા અર્થે અગિયાર અંગ આદિ સમસ્ત ગ્રુત ભણી જાય તો પણ શ્રુતજ્ઞાનનું જે ફળ, દેહથી ભિન્ન એવા શુદ્ધાત્માનું જ્ઞાન-સમ્યજ્ઞાન, તે તેને હોતું નથી. તેથી વ્યવહારથી બાહ્યચારિત્ર પાળવા છતાં અને શાસ્ત્રપાઠ કરવા છતાં તેને આત્મસ્વરૂપનો લક્ષ ન હોવાથી તે અજ્ઞાની છે.
વળી તેને સંસારના ભોગની જ ઇચ્છા હોવાથી ઈન્દ્ર આદિ પદવીના કારણ એવા પુણ્યબંધ માટે ધર્મ છે એમ માનીને વ્યવહારધર્મમાં શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, આચરણ કરે છે, પરંતુ કર્મક્ષય કરીને મોક્ષ પામવા માટે કરતો નથી. એમ આત્માના લક્ષ વગર પણ વ્યવહારધર્મને તેમજ દ્રવ્યશ્રુતને ઉગ્રપણે આરાધતો તે નવા રૈવેયક સુધીના ભોગોને પ્રાપ્ત કરે છે પરંતુ મોક્ષને કદાપિ પામતો નથી, કારણ કે તેને વાસ્તવિક ધર્મની શ્રદ્ધા કે અનુભવજ્ઞાન નથી.
વ્યવહાર ને નિશ્ચય પ્રતિષેધ્ય-પ્રતિષેધક કેવા પ્રકારે છે? તે કહે છે :
आयारादी णाणं जीवादी दंसणं च विण्णेयं । छज्जीवणिकं च तहा भणइ चरित्तं तु ववहारो ॥२७६॥ आदा खु मज्झ णाणं आदा मे दंसणं चरित्तं च । आदा पच्चक्खाणं आदा मे संवरो जोगो ॥२७७॥ જીવાદિક શ્રદ્ધાન ને, આચારાદિક જ્ઞાન; ચારિત્ર રક્ષા જીવની, એ વ્યવહાર પ્રમાણ. ૨૭૬ નિશ્ચય મુજ આત્મા સ્વયં, દર્શન જ્ઞાન ચરિત્ર; આત્મા પ્રત્યાખ્યાન ને, સંવર યોગ પવિત્ર. ૨૭૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org