SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શ્રી સમયસાર નિયમ છે. પરંતુ પરાશ્રિત એવા વ્યવહારનયનો આશ્રય કરનારને એકાન્ત મોક્ષ થાય જ એવો નિયમ નથી; દ્રષ્ટાંત તરીકે, કર્મથી કદી ન મુકાતો એવો કોઈ અભવ્ય જીવ પણ વ્યવહારનયનો આશ્રય કરીને મોક્ષમાર્ગનું આરાધન કરે છે. તાત્પર્ય કે પ્રથમ સવિકલ્પ અવસ્થામાં નિશ્ચયના સાધકરૂપે વ્યવહારનય પ્રયોજનભૂત છે, તથાપિ વિશુદ્ધજ્ઞાન દર્શન લક્ષણવાળા શુદ્ધાત્મામાં સ્થિત થયેલાઓને વ્યવહારનય અપ્રયોજનભૂત છે. અભવ્ય પણ વ્યવહારથી મોક્ષમાર્ગને આરાધે છે તે કેવી રીતે? તે કહે છે - वदसमिदीगुत्तीओ सीलतवं जिणवरेहि पण्णत्तं । कुव्वंतो वि अभव्वो अण्णाणी मिच्छदिट्ठी दु ॥२७३॥ मोक्खं असद्दहंतो अभवियसत्तो दु जो अधीएज । पाठो ण करेदि गुणं असद्दहंतस्स णाणं तु ॥२७४॥ सहदि य पत्तेदि य रोचेदि य तह पुणो य फासेदि । धम्म भोगणिमित्तं ण दु सो कम्मक्खयणिमित्तं ॥२७५ ।। જિનોક્ત વ્રતાપ શીલ ધરે, સમિતિ ગુતિ સહિત; છતાં અભવી અજ્ઞ જ રહે, મિથ્યાવૃષ્ટિ ખચીત. ૨૭૩ અભિવ્ય તો આગમ ભણે, વિના મોક્ષશ્રદ્ધાન; પઠન ન તેને ગુણ કરે, નથી જ્ઞાનનું ધ્યાન. ૨૭૪ . શ્રદ્ધા પ્રતીતિ રુચિ ધરે, વળી સ્પર્શ સુધર્મ; સર્વે ભોગનિમિત્ત તે, નહિ કરવા ક્ષય કર્મ. ૨૭૫ કોઈ અભવ્ય મંદ કષાયી થઈને જિનેશ્વરે કહેલાં બાહ્ય વ્રત સમિતિ ગુપ્તિ શીલ તપશ્ચરણ વગેરેને કરે છે પરંતુ મિથ્યાત્વાદિ સાત પ્રકૃતિનો ઉપશમ, ભ્રયોપશમ કે ક્ષય કરી શકતો નથી; તેથી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy