________________
૨૦૮
શ્રી સમયસાર ઉત્તર :- જ્યાં સુધી આત્માના અનુભવરૂપ સમૃદ્ધિ અંતરમાં પ્રગટ થતી નથી અને સંકલ્પવિકલ્પ દૂર થતા નથી ત્યાં સુધી જીવ શુભાશુભ કર્મજનક અધ્યવસાનોને કરે છે. સંકલ્પવિકલ્પ છે તે સર્વે અધ્યવસાનરૂપ જ છે.
પ્રશ્ન :- સંકલ્પવિકલ્પનું સ્વરૂપ શું છે?
ઉત્તર :- દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ (દેહ સ્ત્રી પુત્ર ધન આદિ) રૂપ પરદ્રવ્યમાં મમતા મારાપણું કરવું, આ પદ્રવ્ય મારા છે એમ વિચારવું, તે સંકલ્પ છે. તથા આત્માનો જ્ઞાન ગુણ એક છતાં શેય અનેક હોવાથી આત્માના અભેદ એક જ્ઞાનસ્વભાવને ભૂલીને શેય અનુસાર જ્ઞાનને ભિન્ન ભિન્ન વિચારવું તે વિકલ્પ છે. જેમકે અરીસાનું સ્વરૂપ એક જ પ્રકારે છતાં તેમાં ઝળકતા પદાર્થોની ભિન્નતાથી અરીસામાં ભેદ કલ્પવામાં આવે, તે રીતે શેયની ભિન્નતાથી જ્ઞાનમાં ભેદ માનવો તે વિકલ્પ છે. આત્મા તો વિકાર રહિત શુદ્ધચેતના છે. તેના જ્ઞાનગુણમાં બધા પદાર્થો જણાય, તેરૂપ આત્માને માનવો તે વિકલ્પ છે. જ્ઞાન જ્ઞાનને આધારે જ રહેલું છે. મને લઈને જ્ઞાન છે એમ નથી. દેહ શેય છે. તેરૂપ પોતાને માનતાં હું દેહ છું, વાણિયો છું, બ્રાહ્મણ છું, પુરુષ છું, સ્ત્રી છું, સુખી છું, દુઃખી છું એ આદિ અહંભાવ થાય છે તે વિકલ્પ છે.
મમત્વભાવથી સંકલ્પ થાય છે અને અહંભાવથી વિકલ્પ થાય છે. જ્ઞાનસ્વરૂપ આત્માને શેયથી ભિન્ન જાણવો અને પારદ્રવ્યમાં મારાપણું ન કરવું. એમ અહંભાવ મમત્વભાવ ટળે તો ભેદજ્ઞાન અથવા આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન થતાં અધ્યવસાન મટે અને એ રીતે બંધનો અભાવ થાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org