SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ શ્રી સમયસાર તે કહે છે :एदाणि णस्थि जेसिं अज्झवसाणाणि एवमादीणि । । ते असुहेण सुहेण व कम्मेण मुणी ण लिप्पंति ॥२७०॥ એ આદિ જેને નહીં, અધ્યવસાનો થાય; તે શુભાશુભ કર્મથી, મુનિજન ના લેપાય. ૨૭૦ ઉપર કહ્યા એ વગેરે સર્વ અધ્યવસાન સ્વયં અજ્ઞાન, અદર્શન અને અચારિત્ર એમ ત્રિવિધરૂપ હોવાથી આત્માને શુભાશુભ કર્મબંધના નિમિત્ત થાય છે. તે આ પ્રકારે--આ હું હણું છું ઈત્યાદિ જે અધ્યવસાન છે, તે વાસ્તવિક અજ્ઞાનપણાથી આત્માની સદ્ અહેતુક-સ્વભાવસિદ્ધ સહજ એક જ્ઞપ્રિક્રિયાનો અને રાગદ્વેષના ઉદયથી થતી હનનાદિ ક્રિયાઓનો ભેદ ન જાણવાથી, (૧) ભિન્ન આત્માના અજ્ઞાનરૂપ હોવાથી અજ્ઞાન છે, (૨) ભિન્ન આત્માના અદર્શનરૂપ હોવાથી અદર્શન છે, (૩) ભિન્ન આત્માના આચરણ રહિત હોવાથી અચારિત્ર છે. વળી આ ધર્માસ્તિકાય જણાય છે એવો અધ્યવસાય છે, તે પણ અજ્ઞાનમયપણાથી આત્માના સ્વભાવસિદ્ધ સહજ એક જ્ઞાનસ્વરૂપનો અને જ્ઞય એવા ધર્માસ્તિકાયાદિના સ્વરૂપનો ભેદ ન જાણવાથી, (૧) ભિન્ન આત્માના અજ્ઞાનરૂપ હોવાથી અજ્ઞાન છે, (૨) ભિન્ન આત્માના અદર્શનરૂપ હોવાથી અદર્શન છે, (૩) ભિન્ન આત્માના આચરણ રહિત હોવાથી અચારિત્ર છે. એ રીતે મિથ્યાજ્ઞાનદર્શનચારિત્રરૂપ હોવાથી તે સમસ્ત અધ્યવસાનો બંધના નિમિત્ત અવશ્ય છે. જેઓને આ અધ્યવસાનો નથી તે મુનિઓમાં શ્રેષ્ઠ છે. એવા કોઈ વિરલા મુનિઓ છે કે જેઓ સહજ એક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy