________________
૨૦૬
શ્રી સમયસાર તે કહે છે :एदाणि णस्थि जेसिं अज्झवसाणाणि एवमादीणि । । ते असुहेण सुहेण व कम्मेण मुणी ण लिप्पंति ॥२७०॥ એ આદિ જેને નહીં, અધ્યવસાનો થાય; તે શુભાશુભ કર્મથી, મુનિજન ના લેપાય. ૨૭૦
ઉપર કહ્યા એ વગેરે સર્વ અધ્યવસાન સ્વયં અજ્ઞાન, અદર્શન અને અચારિત્ર એમ ત્રિવિધરૂપ હોવાથી આત્માને શુભાશુભ કર્મબંધના નિમિત્ત થાય છે. તે આ પ્રકારે--આ હું હણું છું ઈત્યાદિ જે અધ્યવસાન છે, તે વાસ્તવિક અજ્ઞાનપણાથી આત્માની સદ્ અહેતુક-સ્વભાવસિદ્ધ સહજ એક જ્ઞપ્રિક્રિયાનો અને રાગદ્વેષના ઉદયથી થતી હનનાદિ ક્રિયાઓનો ભેદ ન જાણવાથી, (૧) ભિન્ન આત્માના અજ્ઞાનરૂપ હોવાથી અજ્ઞાન છે, (૨) ભિન્ન આત્માના અદર્શનરૂપ હોવાથી અદર્શન છે, (૩) ભિન્ન આત્માના આચરણ રહિત હોવાથી અચારિત્ર છે.
વળી આ ધર્માસ્તિકાય જણાય છે એવો અધ્યવસાય છે, તે પણ અજ્ઞાનમયપણાથી આત્માના સ્વભાવસિદ્ધ સહજ એક જ્ઞાનસ્વરૂપનો અને જ્ઞય એવા ધર્માસ્તિકાયાદિના સ્વરૂપનો ભેદ ન જાણવાથી, (૧) ભિન્ન આત્માના અજ્ઞાનરૂપ હોવાથી અજ્ઞાન છે, (૨) ભિન્ન આત્માના અદર્શનરૂપ હોવાથી અદર્શન છે, (૩) ભિન્ન આત્માના આચરણ રહિત હોવાથી અચારિત્ર છે. એ રીતે મિથ્યાજ્ઞાનદર્શનચારિત્રરૂપ હોવાથી તે સમસ્ત અધ્યવસાનો બંધના નિમિત્ત અવશ્ય છે. જેઓને આ અધ્યવસાનો નથી તે મુનિઓમાં શ્રેષ્ઠ છે.
એવા કોઈ વિરલા મુનિઓ છે કે જેઓ સહજ એક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org