________________
૨૦૫
૭. બંધ અધિકાર નર નારક તિર્યંચ સુર, પુણ્ય પાપ વિસ્તાર; અધ્યવસાન કરી કરે, નિજને વિવિધ પ્રકાર. ૨૬૮ ધર્માધર્મ અજીવ જીવ, લોક અલોક વિચાર; અધ્યવસાન કરી કરે, નિજને સર્વ પ્રકાર. ૨૬૯
જેવી રીતે ક્રિયા કરવાના ભાવરૂપ હિંસા અધ્યવસાયથી જીવ પોતાને હિંસક કરે છે અને અન્ય અધ્યવસાયથી અન્યરૂપ કરે છે, તેવી રીતે ગતિનામકર્મના ઉદયથી જે ગતિ મળી હોય તેને આશ્રય જીવ પોતાને દેવ, મનુષ્ય, નારક, કે તિર્યંચ કરે છે. અર્થાત્ પ્રાપ્ત થયેલા દેહરૂપ પોતાને માને છે અને તેને આધારે સર્વ મિથ્યા અધ્યવસાનોની પરંપરા ચાલે છે. તેમજ પુણ્ય પાપના ઉદયમાં હું સુખી, હું દુઃખી એમ માને છે. એ રીતે કર્મના ઉદયમાં એકતા કરવાથી પોતાને અનેકરૂપ કરે છે.
વળી પોતાને ભૂલીને જીવ જ્યારે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અન્ય જીવ તથા અજીવ, લોકાકાશ અલોકાકાશ આદિ પર દ્રવ્યને જાણવામાં પ્રવર્તે છે ત્યારે તે તે શેયમાં તન્મય થતો ધર્માસ્તિકાયાદિરૂપ પોતાને કરે છે.
ઈન્દ્રવજા विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावादात्मानमात्मा विदधाति विश्वम् । मोहैककंदोऽध्यवसाय एष
नास्तीह येषां यतयस्त एव ॥१७२॥ I વિશ્વના સર્વ પદાર્થોથી ભિન્ન હોવા છતાં જેના પ્રભાવથી આત્મા પોતાને વિશ્વરૂપ કરે છે, તે મોહના એક મૂળરૂપ આ અધ્યવસાય છે. આ સંસારમાં જેઓને એ અધ્યવસાય નથી તે મુનિઓ છે.
(કલશ ૧૭૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org