________________
૨૦૪
શ્રી સમયસાર
अज्झवसाणणिमित्तं जीवा बझंति कम्मणा जदि हि । मुच्चंति मोक्खमग्गे ठिदा य ता किं करेसि तुमं ॥२६७॥ જીવો અધ્યવસાનથી, કમેં જો બંધાય; મોક્ષમાર્ગ મુકાય છે, તો તુજથી શું થાય? ૨૬૭
હું પર જીવોને બાંધું , મુક્ત કરું એ જે અધ્યવસાન છે તેની અર્થક્રિયા છે, જીવોને બંધ કે મોક્ષ થાય તે હોવી જોઈએ. પરંતુ તેવા અધ્યવસાનના સદ્ભાવમાં પણ જીવો પોતાના સરાગ પરિણામના અભાવમાં બંધાતા નથી અને વીતરાગ પરિણામના અભાવમાં મુકાતા નથી; અને તેવા અધ્યવસાનના અભાવમાં પણ જીવો પોતાના સરાગ પરિણામનાં સદ્ભાવથી બંધાય છે અને વીતરાગ પરિણામના સર્ભાવથી છૂટે છે. તેથી પરમાં અકાર્યકારી હોવાથી તે સર્વ અધ્યવસાન મિથ્યા છે.
અનુષુપ अनेनाध्यवसानेन निष्फलेन विमोहितः । तत्किंचनापि नैवास्ति नात्मात्मानं करोति यत् ॥१७१ ॥
આ નિષ્ફળ અધ્યવસાનથી મોહિત થયેલો અર્થાતુ પોતાના સ્વરૂપનું ભાન ભૂલેલો આત્મા ચારગતિરૂપ સંસારમાં એવી કોઈ અવસ્થા નથી અથવા એવો કોઈ પદાર્થ નથી કે જે રૂપ પોતાને ન કરતો હોય.
- (કલશ ૧૭૧) જીવ પોતાને અનેકરૂપ કેવી રીતે કરે છે ? તે કહે છે - सव्वे करेइ जीवो अज्झवसाणेण तिरियणेरयिए । देवमणुये य सव्वे पुण्णं पावं च णेयविहं ॥२६८॥ धम्माधम्मं च तहा जीवाजीवे अलोयलोयं च । सव्वे करेइ जीवो अज्झवसाणेण अप्पाणं ॥२६९॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org