________________
૭. બંધ અધિકાર
૨૦૩
"
વંધ્યાપુત્રને હું હણું એવો અધ્યવસાન થતો નથી, પરંતુ આ વીરપુત્રવાળી માતાના પુત્રને હું હણું એવો અધ્યવસાન થાય છે. તેથી અધ્યવસાનના આશ્રયભૂત એવા બાહ્ય પદાર્થોનો પણ અત્યંત નિષેધ કરાય છે. છતાં બંધનું કારણ તો અધ્યવસાન જ છે; કેમ કે બાહ્યવસ્તુ હોય અને અધ્યવસાન ન થાય તો બંધ થતો નથી, જેમકે ઈર્યાસમિતિમાં પરિણમેલા મુનિના પગ નીચે અચાનક કોઈ જંતુ આવી પડે ને મરી જાય, તેથી તેમને હિંસા સંબંધી પાપબંધ થતો નથી. બાહ્યવસ્તુ જીવને તેવા ભાવ ન કરાવે તો તે બંધનું કારણ નથી. પરંતુ અધ્યવસાન તો તે ભાવરૂપ જ હોવાથી બંધનાં કારણ અવશ્ય છે.
બંધના હેતુ એવા તે અધ્યવસાનને સ્વાર્થક્રિયાકારીપણાનો અભાવ છે તેથી તે મિથ્યા છે એમ દર્શાવે છે :
दुक्खिदसुहिदे जीवे करेमि बंधेमि तह विमोचेमि । जा एसा मूढमई णिरत्थया सा हु दे मिच्छा ॥ २६६ ॥ જીવોને દુ:ખી સુખી, બદ્ધ-મુક્ત કરું હુંય; વ્યર્થ ખરે એ મૂઢ મતિ, મિથ્યા ધારે તુંય. ૨૬૬
પર જીવોને હું દુ:ખી કરું છું, સુખી કરું છું, બંધન કરું છું, મુક્ત કરું છું-એ આદિ સર્વ અધ્યવસાનને ‘ ૫૨ભાવને ૫૨ ક૨વા અસમર્થ છે ' એ ન્યાયે, સ્વાર્થક્રિયાકારીપણાનો અભાવ છે. તેથી ‘આકાશપુષ્પને હું ચૂંટું છું ' એ અધ્યવસાન જેમ મિથ્યા છે, તેમ આ સર્વ અધ્યવસાન મિથ્યા છે અને કર્મબંધના હેતુપણે માત્ર આત્માના અનર્થને માટે થાય છે.
અધ્યવસાન સ્વાર્થક્રિયાકારી શાથી નથી ? તે કહે છે :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org